________________
૯૬
કે ઉપયોગી જીવથી, ક્રોધ કહે તું અન્ય; તો પ્રત્યય નોકર્મ ને, કર્મ ક્રોધવત્ અન્ય. ૧૧૫
શ્રી સમયસાર
જેમ જીવ અને ઉપયોગ અનન્ય છે, તેમ જીવ અને જડ ક્રોધ પણ અનન્ય હોય તો જીવને જડપણાની પ્રાપ્તિ થાય, તેથી જીવ અને અજીવ બન્ને એક થતાં દ્રવ્યની ભિન્નતાનો લોપ થાય, એ પ્રત્યક્ષ વિરોધ આવે છે. એ રીતે જડ પ્રત્યય, કર્મ, નોકર્મ વગેરે સાથે પણ જીવને અનન્ય માનતાં એ જ દોષ આવે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે ઉપયોગાત્મક જીવ ભિન્ન અને જડસ્વભાવવાળા પ્રત્યય, કર્મ, નોકર્મ વગેરે ભિન્ન છે. એમ જીવ અને પ્રત્યયોનું એકપણું નથી.
સાંખ્યમતવાદી શિષ્ય પ્રત્યે પુદ્ગલદ્રવ્યનો પરિણામી સ્વભાવ સિદ્ધ કરે છે :
जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण । जइ पुग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि ॥ ११६ ॥ कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥ ११७ ॥ जीवो परिणामयदे पुग्गलदव्वाणि कम्मभावेण । ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा ॥११८॥ अह सयमेव हि परिणमदि कम्मभावेण पुग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥ ११९ ॥ णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पुग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव ॥ १२० ॥ સ્વયં બદ્ધ ન જીવમાં, કરે ન નિજ પરિણામ; એમ હોય તો દ્રવ્ય-જડ, નહિ પરિણમે તમામ. ૧૧૬
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org