________________
૯૩
૨. કર્તાકર્મ અધિકાર કહેવાય છે તે ઉપચાર છે, પરમાર્થ નથી.
તેથી સિદ્ધ થાય છે કે : उप्पादेदि करेदिय बंधदि परिणामएदि गिण्हदिय । आदा पुग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ॥१०७॥ આત્મા પુગલને કરે, હે કરે બંધન; ઉત્પન્ન-પરિણમન કરે, એ વ્યવહાર-કથન. ૧૦૭
વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી આત્મા પ્રાપ્ય-વિકાર્યનિર્વર્ય એ ત્રણ પ્રકારે પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મને ગ્રહણ કરતો, પરિણમાવતો, ઉપજાવતો, કરતો કે બાંધતો નથી. તેથી વ્યાપ્યવ્યાપકભાવના અભાવમાં પણ આત્મા કર્મને ગ્રહણ કરે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે એમ જે કહેવાય છે તે ખરે ઉપચાર અથવા વ્યવહારનયનું કથન છે.
તે કેવી રીતે ? તે દ્રષ્ટાંતથી સમજાવે છે - जह राया ववहारा दोसगुणुप्पादगोत्ति आलविदो । तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो ॥१०८॥ પ્રજાતણા ગુણદોષનો, કર્તા નૃપ ગણાય; કર્તા પરગુણદ્રવ્યનો, જીવ વ્યવહારે થાય. ૧૦૮
વ્યાપ્યવ્યાપકભાવના અભાવમાં જેમ પ્રજાના ગુણદોષને રાજા ઉત્પન્ન કરે છે, તેથી “યથા રાજા તથા પ્રજા” એમ ઉપચારથી કહેવાય છે, તેમ પુગલના ગુણદોષને ઉત્પન્ન કરનાર આત્મા છે એમ કહેવું તે ઉપચાર અથવા વ્યવહાર છે.
વસંતતિલકા जीवः करोति यदि पुद्गलकर्म नैव कस्तर्हि तत्कुरुत इत्यभिशंकयैव ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org