SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી સમયસાર પુદ્ગલદ્રવ્યના ગુણો જ કર્મરૂપે પરિણમે છે. આત્મદ્રવ્ય કે આત્મગુણો કર્મમાં સંક્રમણ કરે એ અશક્ય છે. એમ હોવાથી આત્મા પુલકર્મોનો અકર્તા છે. ૩૧૩મા એકતા છે. એ સિવાય જે છે તે ઉપચાર છે ? . जीवह्मि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणामं । जीवेण कदं कम्म भण्णदि उवयारमत्तेण ॥१०५॥ જીવભાવ હેતુ થતાં, જોઈ બંધ પરિણામ; “જીવ-કૃત' કહે એમ જે, તે વ્યવહાર તમામ. ૧૦૫ આત્મા સ્વભાવથી પુદગલ કર્મબંધનું નિમિત્ત થવા યોગ્ય નહિ છતાં અનાદિ અજ્ઞાનથી, આત્મામાં અજ્ઞાનભાવના પરિણમનરૂપ નિમિત્તથી પરિણમતા પુદ્ગલકર્મને આત્માએ કર્યું એમ નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવથી ભ્રષ્ટ થયેલા અજ્ઞાનીઓનો વિકલ્પ છે, તે સર્વ માત્ર ઉપચાર અથવા વ્યવહાર છે, પણ પરમાર્થ નથી. તે કેવી રીતે ? તે દ્રષ્ટાંતથી સમજાવે છે – जोधेहिं कदे जुद्धे राएण कदंति जंपदे लोगो । तह ववहारेण कदं णाणावरणादि जीवेण ॥१०६॥ યુદ્ધ કરે યોદ્ધાજનો, “કરે નૃપ' કહે લોક; તેમ કર્મ જીવે કર્યા', એ વ્યવહાર વિલોક. ૧૦૬ જેમ યુદ્ધ ક્રિયામાં સ્વયં પ્રવર્તતા યોદ્ધાઓવડે યુદ્ધ કરાતાં, તે ક્રિયામાં સ્વયં ન પ્રવર્તતા રાજાએ યુદ્ધ કર્યું એમ લોકો કહે છે તે ઉપચાર છે, પરમાર્થ નથી; તેમ જ્ઞાનાવરણઆદિ કર્મપરિણામમાં સ્વયં પરિણમતા પુદ્ગલદ્રવ્યવડે કર્મ કરાતાં જ્ઞાનાવરણાદિ કર્મપરિણામમાં સ્વયં ન પરિણમતા આત્માએ એ કર્મ કર્યા એમ જે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy