________________
૨. કર્તાકર્મ અધિકાર
તેનું ભાવકર્મ છે. તેનો તે તન્મયપણે અનુભવ કરતો હોવાથી ભોક્તા પણ પોતાના જ ભાવનો થાય છે. એ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા થતો નથી.
પરભાવને ઉપાદાનરૂપે કોઈ કરી શકે નહિ :
जो जहि गुणे दव्वे सो अण्णम्हि दुण संकमदि दव्वे
सो अण्णमसंकं तो कह तं परिणामए दव्वं ॥ १०३ ॥ જે દ્રવ્યે જે ગુણ તે, અન્યે ન સંક્રમાય, તો પરદ્રવ્યનું પરિણમન, તેનાથી શું થાય ? ૧૦૩
-
૯૧
આ લોકમાં જે કોઈ વસ્તુવિશેષ છે તે જે કોઈ ચેતન કે અચેતન દ્રવ્યગુણમાં પરિણમેલ હોય તેમાં જ પરિણમે, અન્યના દ્રવ્યગુણમાં સંક્રમે નહિ એવી અચળ વસ્તુસ્થિતિ છે, તેને મિથ્યા કરવા કોઈ સમર્થ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે કે બીજા દ્રવ્યના ગુણરૂપે સંક્રમણ કર્યા વિના તેને કેમ પરિણમાવે ? તેથી પરભાવને કરવા કોઈ સમર્થ નથી.
તેથી એમ નક્કી થયું કે આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા છે :दव्वगुणस्स य आदा ण कुणदि पुग्गलमयह्नि कम्मह्नि । तं उभयमकुव्वतो तह्नि कहं तस्स सो कत्ता ॥१०४॥ જો પુદ્ગલના દ્રવ્યગુણ, આત્માથી ન કરાય;
તો તે પુદ્ગલકર્મનો, કર્તા ક્યાંથી થાય ? ૧૦૪
Jain Educationa International
જેમ માટીનો કલશ થવામાં માટી ને માટીના ગુણો જ કલશરૂપે પરિણમે છે, કુંભાર કે કુંભારના ગુણ કલશમાં સંક્રમણ કરે એ અશક્ય છે. તેથી કુંભાર વસ્તુતઃ તન્મયપણે કલશનો કર્તા થતો નથી તેમ પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ થવામાં પુદ્ગલદ્રવ્ય અને
For Personal and Private Use Only
www.jainelibrary.org