SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કર્તાકર્મ અધિકાર તેનું ભાવકર્મ છે. તેનો તે તન્મયપણે અનુભવ કરતો હોવાથી ભોક્તા પણ પોતાના જ ભાવનો થાય છે. એ રીતે અજ્ઞાની પણ પરભાવનો કર્તા થતો નથી. પરભાવને ઉપાદાનરૂપે કોઈ કરી શકે નહિ : जो जहि गुणे दव्वे सो अण्णम्हि दुण संकमदि दव्वे सो अण्णमसंकं तो कह तं परिणामए दव्वं ॥ १०३ ॥ જે દ્રવ્યે જે ગુણ તે, અન્યે ન સંક્રમાય, તો પરદ્રવ્યનું પરિણમન, તેનાથી શું થાય ? ૧૦૩ - ૯૧ આ લોકમાં જે કોઈ વસ્તુવિશેષ છે તે જે કોઈ ચેતન કે અચેતન દ્રવ્યગુણમાં પરિણમેલ હોય તેમાં જ પરિણમે, અન્યના દ્રવ્યગુણમાં સંક્રમે નહિ એવી અચળ વસ્તુસ્થિતિ છે, તેને મિથ્યા કરવા કોઈ સમર્થ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે કે બીજા દ્રવ્યના ગુણરૂપે સંક્રમણ કર્યા વિના તેને કેમ પરિણમાવે ? તેથી પરભાવને કરવા કોઈ સમર્થ નથી. તેથી એમ નક્કી થયું કે આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા છે :दव्वगुणस्स य आदा ण कुणदि पुग्गलमयह्नि कम्मह्नि । तं उभयमकुव्वतो तह्नि कहं तस्स सो कत्ता ॥१०४॥ જો પુદ્ગલના દ્રવ્યગુણ, આત્માથી ન કરાય; તો તે પુદ્ગલકર્મનો, કર્તા ક્યાંથી થાય ? ૧૦૪ Jain Educationa International જેમ માટીનો કલશ થવામાં માટી ને માટીના ગુણો જ કલશરૂપે પરિણમે છે, કુંભાર કે કુંભારના ગુણ કલશમાં સંક્રમણ કરે એ અશક્ય છે. તેથી કુંભાર વસ્તુતઃ તન્મયપણે કલશનો કર્તા થતો નથી તેમ પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ થવામાં પુદ્ગલદ્રવ્ય અને For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy