________________
૯૦
શ્રી સમયસાર પર્યાય છે, બધી અવસ્થામાં વ્યાપતા નથી. તે યોગ અને ઉપયોગ અનુક્રમે ઘટાદિના અને ક્રોધાદિના નિમિત્તમાત્રપણે કર્તા કહેવાય
છે. આત્મા અજ્ઞાની થઈને પોતાના અશુદ્ધ યોગઉપયોગનો કર્તા - થાય છે. પરંતુ પારદ્રવ્યાત્મક કર્મનો કર્તા ક્યારેય થતો નથી.
જ્ઞાની જ્ઞાનના જ કર્તા છે :जे पुग्गलदव्वाणं परिणामा होति णाणआवरणा । ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी ॥१०१॥
પુગલનાં પરિણામ જે, જ્ઞાનાવરણી કર્મ; કે
કરે ન તેને આતમા, જ્ઞાની જાણે મર્મ. ૧૦૧ છે. જેમ કોઈ ગોરસ-અધ્યક્ષ (જોનાર) દૂધદહીંમાં થતા ફેરફારોને માત્ર જાણે પરંતુ પોતે કરતો નથી, તેવી રીતે જ્ઞાની જ્ઞાનાવરણ કર્મને થતાં જાણે છે, પરંતુ પોતે તેના કર્તા નથી. તે જાણવારૂપ જ્ઞાનક્રિયાના જ જ્ઞાની કર્તા છે. જ્ઞાનાવરણની જેમ બીજાં સાત કર્મ, મનવચનકાય, પાંચ ઇન્દ્રિય વગેરે વિષે પણ તથા પ્રકારે વિચારી લેવું.
અજ્ઞાની પણ પરભાવનો કર્તા નથી - जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥१०२॥ ન કરે શુભાશુભ ભાવ જે, કર્તા તેનો થાય; છે, એ જ શુભાશુભ ભાવનો, ભોક્તા જીવ ગણાય. ૧૦૨ - અજ્ઞાની પણ અનાદિ અજ્ઞાનને વશ સ્વપરના એકત્વઅધ્યાસથી, પુદ્ગલકર્મવિપાકથી થતા મંદતીવ્ર રસવડે, અચળ એક સ્વાદવાળા શુદ્ધભાવને મૂકીને જે અજ્ઞાનરૂપ શુભાશુભ ભાવ કરે છે, તે શુભાશુભ ભાવનો જ કર્તા થાય છે. તે જ શુભાશુભભાવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org