________________
૨. કર્તાકર્મ અધિકાર
૮૯
ઈન્દ્રિયાદિ કરણ, ક્રોધાદિ સમસ્ત અંતરંગ કર્મ અને પ્રાપ્ત થતા વિવિધ નોકર્મ-દેહાદિને પણ તેવી જ રીતે આત્મા કરે છે એમ વ્યવહારી જીવોનો મોહ છે.
પરંતુ નિશ્ચય દ્રષ્ટિથી તે વ્યવહાર યથાર્થ નથી - 3 जदि सो परदव्वाणि य करिज णियमेण सम्पओ होन्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कता ॥१९॥ તે જો પરદ્રવ્યો કરે, અવરય તન્મય થાય; પણ નહિ તન્મય તેથી તે, ક યણ ને મનાય. હe
જો આત્મા પરદ્રવ્યરૂપ કર્મને કરે તો પરિણામ-પરિણામીપણે તે પરદ્રવ્ય સાથે નિયમથી તન્મય થાય. એ રીતે અન્યદ્રવ્યરૂપ થતાં તેન. સ્વદ્રવ્યનો નાશ થાય. પરંતુ તેમ અન્ય સાથે તન્મય થતો નથી તેથી વ્યાપ્યવ્યાપકપણે આત્મા પરદ્રવ્યનો કર્તા નથી. .
નિમિત્ત નૈમિત્તિકપણે પણ આત્મા પરદ્રવ્યનો કર્તા નથી :जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे । जोगुवओगा उप्पादमा य तेसिं हवदि कत्ता ॥१०॥ ઘટ પટ આદિ દ્રવ્યનો, કર્તા જીવ ન થાય; " નિમિત્ત યોગ-ઉપયોગનો, કતાં તે કહેવાય. ૧૦૦
વળી આત્મા ઘટપટાદિ અને ક્રોધાદિને નિમિત્તનૈમિત્તિકભાવે પણ કરતો નથી, કારણ કે એવો આત્માનો સ્વભાવ માનીએ તો તેને પરદ્રવ્યના નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવે. નિમિત્તપણે કર્તા તો આત્માના યોગ ને ઉપયોગ છે. મનવચનકાયાના નિમિત્તે આત્મપ્રદેશોનું સકંપ થવું તે યોગ છે, અને રાગાદિયુક્ત જ્ઞાનની પરિણતિ થવી તે અશુદ્ધ ઉઘયોગ છે. એ બન્ને આત્માના એનિત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org