________________
શ્રી સમયસાર
જ્ઞાનથી જ ઉષ્ણતા અગ્નિની અને શીતળતા પાણીની એમ ભેદ જણાય છે, જ્ઞાનથી જ શાકના અને મીઠાના સ્વાદનો ભેદ ઉલ્લસે છે તેવી રીતે જ્ઞાનથી જ પોતાના અજ્ઞાનરસથી વિકસતા નિત્ય ચૈતન્ય દ્રવ્યનો અને ક્રોધાદિનો ભેદ કર્તાપણાને દૂર કરતો પ્રગટ થાય છે. (કલશ ૬૦)
८८
અનુષ્ટુપ अज्ञानं ज्ञानमप्येवं कुर्वन्नात्मानमंजसा । स्यात्कर्तात्मात्मभावस्य परभावस्य न क्वचित् ॥ ६१ ॥
આ પ્રમાણે આત્મા આત્માને પ્રગટપણે અજ્ઞાનરૂપ કરે કે જ્ઞાનરૂપ કરે તો પણ તે આત્મભાવનો જ કર્તા થાય છે. પરભાવનો કર્તા ક્યારેય થતો નથી. (લશ ૬૧)
અનુષ્ટુપ आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् । परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ॥६२॥
આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન જ છે; તેથી જ્ઞાનથી જાદું શું કરે ? આત્મા પરભાવનો કર્તા છે એમ કહેવું એ વ્યવહારી જીવોનો મોહ છે. (કલશ ૬૨)
તે મોહયુક્ત વ્યવહાર આ પ્રકારે છે ઃ
ववहारेण दु आदा करेदि घडपडस्थाणि देव्वाणि । करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥९८ ॥ ઘટ પટ રથ આદિ કરે, વ્યવહારે આ જીવ; કરણ કર્મ નોક્રર્મના, વિવિધ પ્રકાર તથૈવ. ૯૮ વ્યવહારથી જેમ આત્મા પોતાના વિકલ્પોવડે ઘટ પટ ૨થ આદિ પરદ્રવ્યરૂપ બાહ્ય કર્મને કરતો જણાય છે, તેમ પરદ્રવ્યાત્મક
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org