________________
૮૬
શ્રી સમયસાર કરવાથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક એવા વિજ્ઞાનઘન સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો વારંવાર અનેક વિકલ્પો કરતો કર્તા ભાસે છે. પરંતુ જ્ઞાની થતાં તે જ્ઞાનની આદિની પ્રસિદ્ધિથી ભિન્ન ભિન્ન સ્વાદ લેવાથી જેની ભેદવિજ્ઞાનશક્તિ ઊઘડી ગઈ છે એવો થવાથી સર્વ અન્ય રસોથી ભિન્ન અનાદિ અનંત નિરંતર અનુભવાતા અત્યંત મધુર ચૈતન્યસ્વરૂપ એક રસવાળો આ આત્મા છે; અને કષાયો ભિન્ન રસવાળા છે તેની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે-એમ આત્માને ને પરને ભિન્ન જાણે છે; તેથી અકૃત્રિમ, એક, જ્ઞાનસ્વરૂપ જ હું છું, પરંતુ સંયોગજનિત અનેક એવા કષાયરૂપ હું નથી એમ જાણી “હું ક્રોધ છું' એવા આત્માસંબંધી વિકલ્પને જરા પણ કરતો નથી; તેથી સમસ્ત કર્તાપણાને ત્યાગે છે અને સદા ઉદાસીન અવસ્થાને ધારણ કરતો માત્ર જાણનાર રહે છે, ત્યારે નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાનઘન થયેલો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
વસંતતિલકા अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवनपि रज्यते यः । पीत्वा दधीक्षुमधुराम्लरसातिगृद्ध्या
गां दोग्धि दुग्धमिव नूनमसौ. रसालम् ॥५७॥ જે આત્મા પોતે જ્ઞાનરૂપ છતાં રાગ કરે છે, તે અજ્ઞાનથી તૃણ ને મિષ્ટાન્ન સાથે ખાનાર હાથી સમાન અવિવેકી છે અને ઉન્મત્ત પણ છે. જેમ કોઈ ઉન્મત્ત મનુષ્ય ખાંડવાળા દહીંને પીને તેના ખાટા મીઠા રસથી અતિ આસક્ત થયેલો એમ માને કે આ દૂધ જેવા રસવાળું છે અને તેથી ગાય દોહવાની ચેષ્ટા કરે તેના જેવો ઉન્મત્ત પણ છે.
(કલશ પ૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org