________________
૨. કર્તાકર્મ અધિકાર
एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ । अप्पाणं अवि य परं करेइ अण्णाणभावेण ॥१६॥ એવા અજ્ઞાન ભાવથી, પરને કરે સ્વરૂપ; મંદબુદ્ધિ માને અહા ! સ્વ-દ્રવ્યને પરરૂપ. ૯૬
કષાય સાથે એકરૂપ થયેલો ઉપયોગ, ભૂતાવિષ્ટની સમાન બળવાન બનીને અનેક આરંભનાં કાર્યો કરતો દેખાય છે અને ધર્માસ્તિકાયાદિ શેય સાથે એકરૂપ થયેલો ઉપયોગ, પાડાનું ધ્યાન કરનાર શિષ્ય આકાશને અડે એવા મોટા શીંગડાવાળા મહાપાડારૂપ પોતાને માનવા લાગ્યો, તેમ મન અને ઇન્દ્રિયના વિષયરૂપ શેયમાં જ્ઞાનરૂપ આત્માને મૂર્શિત કરતો, મડદારૂપ દેહમાં પરમામૃત વિજ્ઞાનઘન આત્માને એકરૂપ માનવાથી અજ્ઞાની થતો તે પ્રકારના ભાવનો કર્તા થાય છે.
તેથી એમ નિશ્ચય થાય છે કે જ્ઞાનથી કર્તાપણું ટાળે છે: एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहि परिकहिदो । एवं खलु जो जाणदि सो मुंचदि सव्वकत्तित्तं ॥१७॥ કર્તા જીવ અજ્ઞાનથી, કહે તત્ત્વજ્ઞ પ્રશસ્ત; એ જે જાણે તે તજે, પરકર્તુત્વ સમસ્ત. ૯૭
આ આત્મા અજ્ઞાનથી આત્મા સંબંધી પરના ને આત્માના એકપણાના વિકલ્પ કરવાથી નિશ્ચયથી કર્તા ભાસે છે. એમ જે જાણે છે, તે સર્વ કર્તુત્વને ત્યાગવાથી અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે : આ આત્મા ખરે અનાદિથી અજ્ઞાની થયેલો, અજ્ઞાનથી અનાદિ સંસારની પ્રસિદ્ધિથી મિશ્ર સ્વાદ લેવાથી જેની ભેદવિજ્ઞાનશક્તિ ઢંકાઈ ગઈ છે એવો હોવાથી, પરને ને આત્માને એકપણે જાણે છે. તેથી હું ક્રોધ છું” એમ આત્માસંબંધી વિકલ્પ
;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org