________________
• ૮૪
શ્રી સમયસાર
કરે ત્રિવિધ ઉપયોગ આ, “હું ક્રોધાદિ' વિકલ્પ; કર્તા તે ઉપયોગનો, થાય જીવ સવિકલ્પ. ૯૪
મોહ વિકાર સહિત ચેતન સામાન્યપણે એક અજ્ઞાનરૂપ છે. તે આત્માને ને પરને ભેદરહિત જોતો જાણતો અને પરિણમતો વિશેષપણે ત્રણરૂપ થાય છે. તે અજ્ઞાન આત્મા ભાવક (ઉદય આવતાં ક્રોધાદિ કર્મ) અને ભાવ્ય (ક્રોધાદિ ભાવે પરિણમેલો આત્મા) એ બન્નેને એક સ્વરૂપ માનતો “હું ક્રોધાદિ છું એમ વિકારયુક્ત થતો તે વિકારયુક્ત ભાવોનો કર્તા થાય છે.
આદિ' શબ્દથી માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, રસન, સ્પર્શન વગેરે ભાવોનું પણ તથા પ્રકારે વ્યાખ્યાન વિચારી લેવું.
એ જ પ્રકારે ય એવા ધર્માદિ અન્ય દ્રવ્યમાં પણ આત્મવિકલ્પ કરે છે તે કહે છે : तिविहो एसुवओगो अप्पवियप्पं करेइ धम्माई । कत्ता तस्सुवओगस्स होइ सो अत्तभावस्स ॥१५॥ કરે ત્રિવિધ ઉપયોગ આ, “હું ધર્માદિ’ વિકલ્પ, કર્તા તે ઉપયોગનો, થાય જીવ સવિકલ્પ. ૯૫
ઉપર કહ્યું તેવી જ રીતે અજ્ઞાન ઉપયોગ એક છતાં ત્રણ પ્રકારે પરિણમીને જોય જે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ તથા અન્ય જીવો છે, તેને જ્ઞાનરૂપ પોતાના આત્માથી ભિન્ન ન માનતો હું ધર્મ છું, અધર્મ છું, આકાશ છું, કાળ છું, પુદ્ગલ છું, અન્ય જીવરૂપ છું એમ ઉપાધિસહિત આત્મપરિણામનો કર્તા થાય છે.
એ વાતને સ્પષ્ટ કરે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org