SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કર્તાકર્મ અધિકાર ત્યારે જીવને શીત-ઉષ્ણની સમાન રાગદ્વેષ સુખદુઃખાદિરૂપે પરિણમવું અશક્ય છતાં અજ્ઞાનથી, હું રાગ કરું છું. ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા ભાસે છે. પરંતુ જ્ઞાનથી કર્મ બંધાતાં નથી : परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो । सो णाणमओ जीवो कम्माणकारओ होदि ॥ ९३ ॥ પોતાને પોતાપણે, જાણે અન્યને અન્ય; જીવ કર્મ-કર્તા મટે, શાનવાન તે ધન્ય. ૯૩ ૮૩ ખરેખર આ આત્મા જ્ઞાનથી જ સ્વપરનો ભેદ જાણે છે, ત્યારે પરને આત્મારૂપે અને આત્માને પરરૂપે ન કરતો સ્વયં જ્ઞાની બનેલો કર્તા ભાસતો નથી. તે આ પ્રકારે :- રાગદ્વેષસુખદુઃખાદિ અનુભવ કરાવનારાં જે પુદ્ગલકર્મ-પરિણામ છે, તે શીતોષ્ણ અનુભવ કરાવનારાં પુદ્ગલપરિણામની સમાન પુદ્ગલથી અભિન્ન અને આત્માથી નિત્ય અત્યંત ભિન્ન છે અને તે નિમિત્તે થતો આત્માનો અનુભવ આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી નિત્ય અત્યંત ભિન્ન છે. એમ પરસ્પર ભેદ જ્યારે જાણે છે, ત્યારે શીતઉષ્ણની સમાન રાગદ્વેષસુખદુ:ખાદિરૂપે પરિણમવું પોતાને અશક્ય છે એમ જાણતો, તે રૂપે લેશ પણ ન પરિણમતો, આત્માનું જ્ઞાનપણું પ્રગટ કરતો સ્વયં જ્ઞાનમય થઈને; આ હું માત્ર જાણું છું, રાગરૂપ છે તે પુદ્ગલ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનવિરુદ્ધ એવા સમગ્ર રાગાદિ કર્મનો જીવ અકર્તા ભાસે છે. અજ્ઞાનથી કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કહે છે :विविहो एसुवओगो अप्पवियप्पं करेइ कोहोऽहं । कत्ता तस्सुवओगस्स होइ सो अत्तभावस्स ॥९४॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy