________________
૨. કર્તાકર્મ અધિકાર
૮૧
તે મિથ્યાદર્શન આદિ ચૈતન્યના વિકાર કેવી રીત છે ! તે
કહે છે.
उवओगस्स अणाई परिणामा तिण्ण मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णायव्व ॥ ८९ ॥ મોહયુક્ત ઉપયોગનાં, અનાદિ ત્રણ પરિણામ; · મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ, અનંત દુઃખનાં ધામ. ૮૯
જેમ સ્ફટિકની સ્વચ્છતા સ્વસ્વરૂપે પરિણમવાને સમર્થ છતાં તમાલ, કેળ અને સુવર્ણપાત્રના સંસર્ગથી લાલ, લીલો ને પીળો એ ત્રણ રંગવાળો દેખાય છે તેમ આત્માનો ઉપયોગ સ્વસ્વરૂપે પરિણમવાને સમર્થ છતાં અનાદિ અન્ય વસ્તુરૂપ મોહ જેમાં અંતર્ગત રહ્યો છે એવા મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિના સંસર્ગથી એ ત્રણ પ્રકારના વિકારયુક્ત પરિણમે છે.
એ આત્માના અશુદ્ધ પરિણામનો કર્તા કોણ છે ? તે કહે છે एएस य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो । जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥ ९० ॥ નિશ્ચયથી ઉપયોગ છે, શુદ્ધ નિરંજન ભાવ; ત્રિવિધ પરિણમી તે બને, કર્તા વિવિધ વિભાવ. ૯૦
નિશ્ચયથી આત્મા શુદ્ધ નિરંજન ચૈતન્ય વસ્તુમાત્ર એક પ્રકારે છતાં અનાદિથી અન્ય એવા મોહ સહિત હોવાથી આત્મામાં ઉદય થતા મિથ્યાત્વઅજ્ઞાનઅવિરતિરૂપ વિકારના નિમિત્તે અશુદ્ધ સાંજન અનેક ભાવને પામેલો ત્રિવિધ વિકારે પરિણમીને જે જે ભાવને કરે છે તેનો કર્તા આત્માનો ઉપયોગ થાય છે.
છે
એમ જ્યારે ત્રિવિધ વિકારને આત્મા કરે છે ત્યારે પુદ્ગલદ્રવ્ય કર્મપણે સ્વતઃ પરિણમે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org