________________
શ્રી સમયસાર જેવી રીતે કુંભાર અભિન્નપણે પોતાનાં પરિણામને કરે છે ને ભોગવે છે, તેવી રીતે ઘડાના પરિણામને કરતો ભોગવતો નથી. જો એમ કરે તો કુંભારને ઘડો થવાનો પ્રસંગ આવે, કે ઘડાને કુંભાર થવાનો પ્રસંગ આવે. તે પ્રકારે આત્મા આત્માનાં પરિણામને જેમ અભિન્નપણે કરે છે, તેવી રીતે પુદ્ગલ કર્મપરિણામને પણ હું અભિન્નપણે કરું છું અને ભોગવું છું એમ અજ્ઞાનથી માને તો તે મિથ્યાદ્રષ્ટિ થાય છે.
આર્યા यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म । या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ॥५१॥
જે પરિણમે તે કર્તા છે, પરિણામ તે કર્મ છે અને પરિણમવું એ ક્રિયા છે. એ ત્રણે કર્તા, કર્મ ને ક્રિયા વાસ્તવિક ભિન્ન નથી. (કલશ પ૧).
આર્યા एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ॥५२॥
પરિણમનાર, પરિણામ ને પરિણતિ એ ત્રણે એક જ દ્રવ્યમાં થાય છે; કારણ કે પર્યાયથી અનેક છતાં દ્રવ્ય સદાય એક જ છે.
(કલશ પર) नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ॥५३॥
બે દ્રવ્ય સાથે મળીને પરિણમતાં નથી, બેનું એક પરિણામ થતું નથી અને બેની એક પરિણતિ થતી નથી. જે અનેક (જાદાં) છે તે સદા અનેક જ રહે છે. (કલશ પ૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org