________________
૨. કર્તાકર્મ અધિકાર કુંભાર લોકોમાં કલશનો કર્તાભોક્તા કહેવાય છે; તેમ અંતરંગ વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે પુદ્ગલદ્રવ્યવડે જ કર્મ કરાતાં ભોગવાતાં હોય છે તોપણ બાહ્ય વ્યાપ્યવ્યાપક અને ભાવ્યભાવકપણે અજ્ઞાનથી પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ પરિણામને કરતો, અને પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થતી અને વિષયોની નિકટતાથી દોડી આવતી સુખદુઃખની પરિણતિને અનુભવતો જીવ પુદ્ગલ કર્મને કરે છે અને ભોગવે છે, એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારપ્રસિદ્ધ વ્યવહાર છે.
તેમાં દોષ બતાવે છે -- जदि पुग्गलकम्ममिणं कुव्वदितं चेव वेदयदि आदा। . दोकिरियावदिरित्तो पसजदि सो जिणावमदं ॥८५॥ જીવ કરે ને ભોગવે, કર્મને નિજ સમાન; ક્રિક્રિયાથી અભિન્ન એ, નહિ જિનમતે પ્રમાણ. ૮૫
આત્મા સ્વભાવનો કર્તા ને ભોક્તા છે તે જ પ્રકારે વ્યાખવ્યાપકપણે પુદ્ગલકર્મપરિણામનો પણ કર્તા અને ભોક્તા માનવાથી ક્રિક્રિયાવાદપણાનો પ્રસંગ આવે, જે જિન મતને પ્રમાણ નથી; કારણ કે તેમાં સ્વાર વિભાગ નષ્ટ થઈ જવાથી એક આત્માને અનેકપણે અનુભવતાં મિથ્યાત્વ પરિણમે છે. - ક્રિક્રિયાનો અનુભવ કરનાર મિથ્યાવૃષ્ટિ કેવી રીતે થાય છે? તે કહે છે : जह्मा दु अत्तभावं पुग्गलभावं च दोवि कुव्वंति ।। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुँति ॥८६॥ જેથી આત્મભાવ તેમ, પુદ્ગલભાવ કરાય; તિક્રિયાવાદી તેથી તે, મિથ્યાવૃષ્ટિ જ થાય. ૮૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org