SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કર્તાકર્મ અધિકાર ૭૫ પ્રગટ કરતો નથી, ત્યાં સુધી અજ્ઞાનથી આત્મા ને પુગલ વચ્ચે કર્તાકર્મની ભ્રાંતિ જણાય છે. (કલશ પ૦) આત્માનાં પરિણામ અને પુદ્ગલનાં પરિણામને અન્યોન્ય નિમિત્તપણે માત્ર છે પરંતુ કર્તાકપણું નથી : जीवपरिणामहे, कम्मत्तं पुग्गला परिणमंति । पुग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमइ ॥४०॥ णवि कुव्वइ कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोण्हंपि ॥८१॥ एएण कारणेण दु कत्ता आदा सएण भावेण । पुग्गलकम्मकाणं ण दु कत्ता सव्वभावाणं ॥८२॥ ચિ પરિણતિના હેતુથી, થાય પુદ્ગલો કર્મ; કર્મ નિમિત્તે જીવ ભાવ, પરિણમતા બહુ ધર્મ. ૮૦ જીવ કરે નહિ કર્મગુણ; જીવગુણોને કર્મ; પણ અન્યોન્ય નિમિત્તથી, કર્તા નિજનિજ ધર્મ; ૮૧ - એ કારણ નિજ ભાવથી, કર્તા જીવ સદાય; પુદ્ગલકર્મકૃત ભાવનો, કદી ન કર્તા થાય. ૮૨ જીવપરિણામના નિમિત્તે પુદગલ કર્મભાવે પરિણમે છે અને પુદ્ગલપરિણામના નિમિત્તે જીવ વિભાવભાવે પરિણમે છે. એ રીતે જીવપુદ્ગલના પરિણામમાં અન્યોન્ય નિમિત્તભાવ કદાચિત્ છે, છતાં પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી જીવને પુદ્ગલપરિણામ સાથે અને પુદ્ગલકર્મને જીવપરિણામ સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. કેમકે જીવ માટીઘટના ન્યાયે વ્યાપ્યવ્યાપકપણે જેમ પોતાના ભાવનો કર્તા છે તેમ પુદ્ગલકર્મનો કર્તા નથી. તેથી નિશ્ચયથી જીવને પોતાનાં પરિણામ સાથે જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy