________________
૭૨
શ્રી સમયસાર
मन्याप
શાર્દૂલવિક્રીડિત व्याप्यव्यापकता तदात्मनि भवेनैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः । इत्युद्दामविवेकघस्मरमहो भारेण भिंदंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ॥४९॥
વ્યાપ્યવ્યાપકપણે સ્વસ્વરૂપમાં હોય, પરસ્વરૂપમાં ન હોય; તો પછી વ્યાપ્યવ્યાપક ભાવના સંભવ વિના કર્તાકર્મની સ્થિતિ કયાંથી હોય ? અર્થાત્ પર એવા પુદ્ગલ સાથે જીવને કર્નાકર્મનો સંબંધ કયાંથી હોય? એ પ્રકારનો ઉદાર વિવેક થવાથી સર્વને પ્રસી જતું જ્ઞાનતેજ પોતાના પ્રભાવથી અજ્ઞાનઅંધકારને નાશ કરતું પ્રગટ છે, ત્યારે કર્તુત્વશૂન્ય થયેલો આત્મા જ્ઞાની થઈને શોભે છે.
(કલશ ૪૯) - પુદ્ગલ કર્મને, સ્વપરિણામને, તેમજ પુદ્ગલકર્મના ફળને જાણનાર જીવને પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ હોય છે કે નહિ ? તે કહે છે : णवि परिणमदि ण गिण्हदि उप्पजदि ण परदव्वपज्जाए । णाणी जाणतो वि हु पुग्गलकम्मं अणेयविहं ॥७६॥ णवि परिणमदि ण गिण्हदि उप्पजदिण परदव्वपजाए । णाणी जाणतो वि हु सगपरिणामं अणेयविहं ॥७७॥ णवि परिणमदि ण गिण्हदि उप्पजदिण परदव्वपजाए । णाणी जाणतो वि हु पुग्गलकम्मफलमणंतं ॥७८॥ જ્ઞાની પુગલકર્મનાં, જાણે વિધવિધ રૂપ; પણ ન ગ્રહે કે પરિણમે, ઊપજે નહિ તદ્રુપ. ૭૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org