________________
૨. કર્તાકર્મ અધિકાર એક વસ્તુરૂપ નથી, પણ ભિન્ન છે. એવો ભેદ જ્યારે જીવ સમજે છે, ત્યારે અજ્ઞાન દૂર થઈને સમ્યજ્ઞાન થતાં, તે અનાદિની કર્તાકર્મની પ્રવૃત્તિથી નિર્વતે છે, તેથી તેને પુદ્ગલકર્મબંધનો નિરોધ થાય છે. એ રીતે જ્ઞાનથી જ બંધનિરોધ સિદ્ધ થાય છે.
માત્ર જ્ઞાનથી જ બંધનિરોધ કેવી રીતે થાય છે? તે કહે છેणादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । . दुक्खस्स कारणंति य तदो णियत्तिं कुणदि जीवो ॥७२।। આસવનું અશુચિપણું, ને વિપરીત વિભાવ; દુઃખકારણ જાણી કરે, જીવ નિવૃત્તિસ્વભાવ. ૭ર
ભેદજ્ઞાન થતાં જીવને જણાય છે કે-પાણીમાં શેવાળની સમાન આસવો પરિણામને બગાડનારા ખરેખર અશુચિ છે અને ભગવાન આત્મા તો અતિ નિર્મળ ચૈતન્યરૂપે સદા અનુભવાતો અત્યંત પવિત્ર જ છે; આસવો પર વડે જણાવા યોગ્ય હોવાથી જડરૂપ અત્યંત વિપરીત સ્વભાવવાળા છે અને ભગવાન આત્મા તો સદા વિજ્ઞાનઘન-સ્વભાવપણે સ્વયં સ્વપરપ્રકાશક હોવાથી અનન્ય સ્વભાવવાળો છે; આસવો વ્યાકુળતા ઉત્પન્ન કરતા હોવાથી ખરેખર કર્મબંધ અને દુઃખનાં કારણ છે અને ભગવાન આત્મા તો સદા અનાકુળ સ્વભાવવાળો હોવાથી કર્મનું કાર્ય કે કારણ નથી અને દુઃખનું કારણ પણ નથી. એ રીતે જ્યારે આત્મા ને આસવોનો ભેદ જાણે છે, ત્યારે જીવ ક્રોધાદિ આસ્રવોથી નિવર્તે છે; કારણ કે ક્રોધાદિથી ન નિવર્તનારને પારમાર્થિક ભેદજ્ઞાનની અસિદ્ધિ છે. જ્ઞાન હોય ત્યાં આસવથી નિવર્સેલો હોય છે, એ રીતે જ્ઞાનથી જ બંધનિરોધ થાય છે એમ કહ્યું, તેથી અજ્ઞાનશક્રિયાનયનો નિષેધ થયો; અને આત્મા ને આસવનું ભેદજ્ઞાન છતાં આસવથી નિવર્તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org