________________
૧. જીવાજીવ અધિકાર
વર્ણાદિ સર્વ એક પુદ્ગલની જ બનાવટ છે, તેથી પુદ્ગલરૂપ જ છે, આત્મારૂપ નથી. આત્મા તો તે સર્વથી જાદો વિજ્ઞાનઘન છે, એમ જાણો.
(કલશ ૩૯) આત્મા સિવાય અન્ય કંઈ પણ જીવ કહેવાય તે વ્યવહાર માત્ર છે
पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव । देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता ॥६७॥ સૂક્ષ્મ બાદર આદિ સાત, પર્યાપ્ત-ઈતર પ્રકાર; દેહતણા એ ભેદને, “જીવ' કહે વ્યવહાર. ૬૭
સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંક્ષીપંચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય એ સાતેને પર્યાપ્ત અપર્યાપ્ત એ બે ભેદે લેતાં ૧૪ પ્રકારે જીવ કહેવાય છે, તે માત્ર વ્યવહારથી કહેવાય છે. એ શરીરની સંજ્ઞાને શાસ્ત્રમાં જીવની સંજ્ઞાપણે કહી છે તે વ્યવહારથી કહી છે. જેમ ઘડામાં ઘીની પ્રસિદ્ધિથી ઘીનો ઘડો એમ કહેવાય છે, તેમ દેહમાં જીવની પ્રસિદ્ધિથી વર્ણાદિયુક્ત જીવ એમ કહેવાય છે.
જેમ કોઈએ જન્મથી માત્ર એક ઘી ભરવાનો ઘડો જ જોયો હોય તેથી ઘડાને ઘીનો માને, તેને કોઈ સમજાવે કે ઘડો ઘીનો નથી પણ માટીનો છે; તેમ જેને અનાદિથી અશુદ્ધ જીવનો પરિચય છે અને શુદ્ધ જીવનો પરિચય નથી, એવા અજ્ઞાનીને બોધ પમાડવા સમજાવે છે કે આ જીવને વર્ણાદિમય તું માને છે તે વસ્તુતઃ વર્ણાદિમય નથી પણ જ્ઞાનમય છે. અનુષ્ટ્રપ : પૃતવુંમમંધાનેડા ડુંમો તમો ને વેત્ |
जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः ॥४०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org