________________
૬૦
-
શ્રી સમયસાર
નામકર્મની પ્રકૃતિ એ, રચે ચૌદ જીવસ્થાન;
જીવરૂપ એ છે નહીં, જડ છે નિશ્ચય માન. ૬૬ - નિશ્ચયથી ઉપાદાનપણે કર્મ અને કરણની અભિન્નતા હોવાથી જે જેના વડે કરાય તે તે રૂપ હોય છે. જેમ કે સુવર્ણપત્ર સુવર્ણવડે કરાયેલું સુવર્ણ છે, અન્ય નહીં. તેમ ઉપર કહ્યા તે ૧૪ જીવસ્થાન પુદ્ગલમય એવી નામકર્મની પ્રકૃતિ વડે કરાયેલા પુદ્ગલ જ છે, જીવ નથી. તે નામકર્મની પ્રકૃતિ પુદ્ગલમય હોવાનું આગમમાં કહ્યું છે; તેમજ તૃશ્યમાન શરીરના આકાર આદિ મૂર્ત કાર્ય ઉપરથી તેના કારણરૂપ નામકર્મની પ્રકૃતિ મૂર્ત હોવાનું અનુમાન થાય છે. . એ જ રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંવનન પણ પુગલમય નામકર્મની પ્રકૃતિથી બનેલા, પુદ્ગલ સાથે અભિન્ન હોવાથી ઉપર્યુક્ત જીવસ્થાનમાં આવી જાય છે. તેથી વર્ણાદિ જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. તે
ઉપજાતિ निर्वर्त्यते येन यदत्र किंचित् तदेव तत्स्यान कथं च नान्यत् । रूक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यंति रूक्मं न कथंचनासिम् ॥३८॥
જે જેના વડે બનેલું હોય તે તે રૂપે કહેવાય. જેમકે સોનાના મ્યાનમાં રહેલી તરવાર વ્યવહારથી સોનાની કહેવાય, પરંતુ તેને બહાર કાઢતાં લોકો મ્યાનને સોનાનું જાએ છે, કોઈ રીતે તરવારને સોનાની થયેલી જોતા નથી!
(કલશ ૩૮)
આ
ઉપજાતિ
- ft
वर्णादि सामग्र्यमिदं विदंतु निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोऽस्त्विदं पुद्गल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः ॥३९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org