SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ દ્વારિકા લઈ જવાં દો, પેલાં દેવે કહ્યું : રાજન્ ! અમારા સ્વામી નાગરાજની રજા અમે લઈ આવીએ. તેઓની રજા મળે, તેા તમે ખુશીથી લઇ જજો. અને તરતજ તે દેવ પાતાલલાકમાં ગયા, અને નાગરાજ ધરણેન્દ્રની સમક્ષ સવૃત્તાંત નિવેતિ કર્યાં. નાગરાજે પણ શ્રીકૃષ્ણની ભાવનાના સ્વીકાર કરીને, પ્રભુજી લઈ જવાની તેમને સંમતિ આપી, પેલા દેવે ઉપર આવીને શ્રીકૃષ્ણ મહારાજને એ વાત જણાવી. સંમતિ મળવાથી અવનીય આનંદ અનુભવી રહેલા શ્રીકૃષ્ણવાસુદેવ એ મનેહર જિનબિં`ખ ત્યાંથી દ્વારિકા નગરી લઈ ગયા. ત્યાં ગગનોત્તુ ંગ ભવ્ય જિનપ્રાસાદ નિર્માણુ કરીને તેમાં શ્રી પાર્શ્વ પ્રભુનુ એ ખિંખ પ્રતિષ્ઠિત કર્યું અને અપૂર્વ આનદ્રથી તેએ પ્રતિદ્વિન એ પ્રભુને પૂજવા લાગ્યા. નિરવધિ કાળ સુખ-દુઃખના બે પાંખિયા વિમાન પર બેસીને ઉડયે જાય છે, અવિરતપણે ઉડયે જ જાય છે. પણ ઉતાવળી પ્રકૃતિના માનવને ‘છીપમાં રૂપાની' જેમ કયારેક ક્યારેક એક સરખા આ કાળપ્રવાહમાં વૈષમ્યની બ્રાન્તિ થઈ આવે છે. તેથી એ કહે છે કેસમય પલટાયા, કાળનું વહેણ બદલાયું. સમયનું વિમાન સરસર કરતું વહે છે, ને દ્વારિકાના વિનાશની ઘડી–પળ નજીક આવતી જાય છે. મદિરા પીને મઢ-મત્ત બનેલા શાંખ-પ્રદ્યુમ્નાદિ યાદવકુમારોની હેરાનગતિથી જંગલમાં ઉગ્ર તપ તપી રહેલા શાંત તાપસઋષિ દ્વૈપાયન ક્રુદ્ધ બને છે. પરિણામે એ તાપસ ઋષિ મૃત્યુ–વેળાએ દ્વારિકાના વિનાશ સ્વહસ્તે કરવાનુ નિયાણું ખાંધે છે. મરીને એ અગ્નિકુમાર નિકાયમાં દેવ થાય છે. આ તરફ કૃષ્ણ મહારાજને આ બધી વાતની જાણ થતાં જ તેઓ શ્રી નેમિનાથ પ્રભુએ દર્શાવેલા ઉપાય પ્રમાણે સમગ્ર નગરમાં આયંબિલની તપશ્ચર્યા ચાલુ કરાવી દે છે, દ્વૈપાયનના કાપાગ્નિથી બચવા માટે, અદ્ભુત છે આ તપના પ્રભાવ. ૧૨-૧૨ વર્ષ સુધી અવિશ્રાન્તપણે એ તપ ચાલુ રહ્યું, ને ત્યાં સુધી પેલે દ્વૈપાયન-દેવ એ તપના પ્રભાવે મે વકાસીને તકની રાહ જોતા બેસી રહ્યો. પણ આવિ ચૈન્ન સર્ચથા” અવશ્યંભાવી ભાવ અન્યથા ન જ થાય. ૧૨ વર્ષ સુધી એકધારી તપશ્ચર્યાથી કંટાળેલા નગરજનાએ પ્રમત્ત બનીને તપ છોડી દીધું. છેડયું કે પેલા તાપસ-દેવ ધસમસતા પૂરની જેમ આવી પહોંચ્યા, પેાતાની ધારણા પાર પાડવા માટે સ્તો. એણે દ્વારિકાના વિનાશની તૈયારી આદરી. એ જોઈને અધિષ્ઠાયક દેવે એક ભક્તને સ્વપ્નમાં કહ્યું : “શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા સમુદ્રમાં પધરાવી દો.’ પેલા ભકતે અધિષ્ઠાયકના આદેશ અનુસાર પ્રતિમાને સમુદ્રમાં પધરાવી દીધી. તે પછી કૃષ્ણ-મળરામ વિ. ગણત્રીની વ્યકિત સિવાય સમગ્ર નગરજના સહિતની દ્વારિકાનગરી પેલા અગ્નિકુમારદેવે આગમાં હામી દીધી. ગઈકાલની સુવર્ણ વણી દ્વારકા આજે ભસ્મશેષ બની રહી. રે ! ક્રૂરતાની ય કોઈ સીમા નહી' હાય ? દ્વારકાના વિનાશ થઈ ગયા, ને ત્યારપછી કૃષ્ણ-વાસુદેવ પણ મૃત્યુ પામ્યા. પણ કાળ તા વણથંભ્યા ને અણુઅટકયો પેાતાનું કામ કર્યે જ જતા હતા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy