SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જય થભણ પારસનાથ કાંતિપુરી નગરીને ધનકુબેર સાર્થવાહ ધન' કિંમતી કરિયાણાથી ભરપૂર વહાણેના જગી કાફલા સાથે વ્યાપાર–અર્થે સમુદ્રમાર્ગે મુસાફરી કરી રહ્યો છે. વહાણને એ કાફલે મધદરિયે આવે છે ને એકાએક એ વહાણ એક ઠેકાણે સ્થિર-ધંભિત થઈ જાય છે. નાવિકેએ ઘણું પ્રયાસ કર્યો, પણ વ્યર્થ. સૌ ભય અને આશ્ચર્યની મિશ્ર લાગણી અનુભવવા લાગ્યા. સઘળી દિશાઓ સ્વચ્છ હતી. નહેતા કેઈ તોફાની વાયરાના વાવડ, કે નહતું કળાતું કેઈ દરિયાઈ તોફાનનું એંધાણ. છતાં એકાએક વહાણ સ્થિર-અડેલ કેમ થઈ ગયા ! તેનું કારણ કેઈને સમજાતું નહતું. આખરે ધન સાર્થવાહને વિચાર આવ્યો કે જરૂર સાગરદેવ આપણું પર કોપ્યા લાગે છે. એ વિના આવું બને નહીં. અનુભવી નાવિકે પણ એ જ મતના થયા. એટલે સાગરદેવને રીઝવવા માટે ધનસાર્થવાહ પિતાના પ્રાણનું બલિદાન આપવા ઉદ્યત થયે. જે તે દરિયામાં ઝંપલાવવા જાય છે, ત્યાં જ આકાશમાંથી દેવવાણી સંભળાણી હે ધનસાર્થવાહ! તું ગભરાઈશ નહીં. તારે કે બીજા કેઈએ આ રીતે મરવાની જરૂર નથી. તારી ઉપર સાગરદેવ કેપ્યા નથી. તારાં વહાણ થંભી જવાનું કારણ તને હું કહું છું. તું સાંભળ. સૌ એક ચિત્તે સાંભળવા તત્પર બન્યા. આકાશવાણી વદી રહેલા દેવે આષાઢી શ્રાવકથી માંડીને પ્રભુજીને સમુદ્રમાં પધરાવવામાં આવ્યા, ત્યાં સુધીની હકીક્ત કહીને ઉમેર્યું: “સાર્થવાહ! તારા વહાણ ઉભાં છે તે જગ્યાએ, દરિયાના તળીયે શ્રી સ્તંભન પાર્શ્વનાથ ભગવાનની એક અલૌકિક પ્રતિમા બિરાજેલી છે. તેના પ્રભાવે જ તારાં વહાણ થંભી ગયા છે. હવે તું એ પ્રતિમાજીને ત્યાંથી કાઢીને તારી નગરીમાં લઈ જા, અને તેની સેવા કર.” આ આદેશ આપીને તે દેવ-વાણી શમી ગઈ. ધનસાર્થવાહે તરતજ એ પ્રતિમાજી સમુદ્રમાંથી કઢાવીને વડાણમાં પધરાવ્યા. પ્રભુ-દર્શન કરીને તે તથા અન્ય લેકે પિતાને ધન્ય માનવા લાગ્યા. પ્રભુ-પ્રતિમા વહાણમાં આવી, કે તરત જ સ્થિર બનેલાં વહાણે ચાલવા લાગ્યાં. અનુક્રમે એ સાર્થવાહે કાંતિપુરીમાં મનહર દેરાસર બંધાવી, તેમાં એ દિવ્ય-પ્રતિમા પધરાવી. અને જીવન પર્યંત તેણે એ પ્રભુની પૂજાભકિત કરી. કાન્તિપુરીમાં એ પ્રતિમા બે હજાર વર્ષ સુધી રહ્યા. ત્યાર પછી– જ્યારે ભરતક્ષેત્રમાં ચરમતીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન પ્રવતી રહ્યું છે, ત્યારે વિક્રમની પ્રથમ શતાબ્દીમાં મહાન જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ મહારાજ થયા. તેમના શિષ્ય સમા ગી નાગાર્જુને કેટીવેધ રસની સિદ્ધિ માટે એ પ્રતિમાનું ત્યાંથી હરણ કર્યું અને તેના સાનિધ્યમાં રસ-સ્તંભન કરીને તેણે એ પ્રતિમા શેઢી નદીના કિનારે ખાખરાના વૃક્ષ નીચે ભંડારી દીધા. અને એ જગ્યાએ સ્મૃતિ માટે સ્તંભનપુર નામનું ગામ વસાવ્યું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy