SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] જય થભણુ પારસનાથ છે ખ જુગ જૂની આ વાત છે. કાળ–પુરાણી આ કથા છે. આ ભરતક્ષેત્રમાં ગત–ઉત્સર્પિણીકાળના સોળમા તીર્થંકરદેવશ્રી નમિનાથ પ્રભુને આષાઢી નામના શ્રાવકે પૂછ્યુ’. પ્રભા ! મારા ઉદ્ધાર કયારે થશે ? હું મેાક્ષનગરના વાસી કયારે બનીશ ? અમૃત-મીઠી વાણીથી ભગવતે ફરમાવ્યું કે હું આષાઢી ! આ જ ભરતક્ષેત્રમાં આવતી-અવસર્પિણીકાળના ત્રેવીશમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવંતના શાસનમાં તારા ઉદ્ધાર થશે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને તું પટ્ટશિષ્ય-ગણધર થઈ ને મેાક્ષે જઇશ,’’ આ સાંભળી પ્રસન્નચિત્ત બનેલા આષાઢીએ પાતાના આત્માારક શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલમ રત્નમય–નાની પણ નમણી અને મનમેાહક મૂર્તિ ભરાવી. અને એની પૂજા કરવામાં એ પુલકિત હૈયે તત્પર બન્યા. કેટલેાક કાળ વીત્યા પછી સૌધર્માધિપતિ શ્રી શક્રેન્દ્રે, અને ત્યારપછી વરૂણદેવે એ પ્રતિમાજી લાંબા સમય સુધી પૂછ્યા. તદનંતર નાગરાજ શ્રી ધરણેન્દ્ર સમુદ્ર-કિનારે ભવ્ય મદિર બાંધી ઘણા સમય સુધી તેની પૂજા કરી. દશાનન-રાવણુ પર વિજય મેળવવા નીકળેલા શ્રી રામ-લક્ષ્મણજીએ આ મહા પ્રભાવિક જિન−ાંખ’બની સાત માસ, નવ દિવસ પન્ત આરાધના કરી, એના પ્રભાવે શ્રી ધરણેન્દ્રે પ્રગટ થઈ ને તેમને કાર્ય સિદ્ધિનુ વરદાન આપ્યું. વરદાન મેળવીને શ્રી રામ-લક્ષ્મણ જિનાલયમાંથી અહાર નીકળ્યા, ત્યાં જ વધામણી મળી કે–સાગરના નીર સ્થિર થઈ ગયા છે, સ્થભી ગયા છે. આ સાંભળી પ્રસન્ન બનેલા તેઓએ પ્રભુનું નામ શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્થાપ્યું અને ત્યારપછી તેઓએ સ્થિર સમુદ્ર પર પાળ બાંધીને તે એળગ્યા. કાળક્રમે-પાતાનુ સામ્રાજ્ય નીરખવા નીકળેલા શ્રી કૃષ્ણવાસુદેવે એ જ સાગર-તટે એ જિનમંદિરમાં એ ચમત્કારિક જિનબિંબ નિહાળ્યું. તેમનાં મન—નયન તૃપ્ત બન્યાં. સ્વયં કૃતાર્થ અન્યા. આ વખતે તેમના મનમાં કુતૂહલ થયું કે-આ પ્રભુની હુંમેશાં પૂજા કાણુ કરી જાય છે? એ જાણવા માટે તેઓ મદિરમાં સંતાઈ ગયા. રાત પડી, ને પાતાલવાસી દેવાએ ખૂબ ભકિતપૂર્ણાંક પ્રભુની પૂજા-સેવા કરી, ત્યારપછી તેએ નાટાર ભાગ્નિથી પ્રભુનું ગુણુ–ક્રીન કરવા લાગ્યા. આ બધુ જોઈ ને વિશેષ હકીકત જાણવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવ દેવાની સમક્ષ ઉપસ્થિત થયા. ને પ્રભુજીની ઉત્પત્તિ, મહિમા વિષે દેવાને પૂછવા લાગ્યા. એક દેવે આષાઢી શ્રાવકથી પ્રારંભી આજ સુધીની હકીકત કહી. પ્રભુના આવા અલૌકિક પ્રભાવ જાણીને કૃષ્ણ મહારાજના રામરાય વિકસ્વર થઈ ગયાં. તેમણે દેવાને વિનતિ કરી કે તમે ઘણા સમય સુધી આ પ્રભુની પુજા કરી, હવે મને થાડા લાભ લેવા દે.-આ પ્રભુજીને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy