SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ માગના બધા મુકામેાના દોષસ્ત માટે નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ પ્રતાપસિંહુ માહાલાલ વગેરેના સક્રિય ચીવટભર્યો સહકારે સ ંઘવીજીને નિશ્ચિત મનાવ્યા હતા. २७१ સંધનું સ્વાગત સત્ર ભવ્ય રીતે થતુ. તે તે ગામેાના અને રાજ્યાના રાજા–આધિકારીઓ અને નગરજના સંઘને જોઈતા સહકાર આપતા હતા. સંઘવીજી પણુ ગામેગામ ચેાગ્યતા પ્રમાણે સારી રકમાનું દાન વહાવ્યે જ જતા હતા. જામનગરથી નીકળેલા આ સંઘ કાલાવડ-ધારાજીના રસ્તે જુનાગઢ આવ્યે. બધે ઠેકાણે સંધવીજી ઉપર માનપાને જાણે વરસાદ વરસતા હતા. જુનાગઢના ભવ્ય સામૈયામાં ત્યાંના અંગ્રેજ દિવાન સર માટીથની હાજરી નોંધપાત્ર હતી. અહીં સંઘ પાંચ દિવસ રહ્યો. માગશર વઢિ દશમે સૌએ ગિરનારતીર્થની યાત્રા કરી. તે અવસરે સૌંધવીજીએ રૂા. દસ હજારની કિંમતના હીરા-માણેક જડેલેા હાર પ્રભુના કંઠે સ્થાપ્યા. એ પછી પૂજયશ્રી આદિ ગુરુભગવતાએ વિશાળ સમુદાયની હાજરીમાં સંઘવીજીને તીથમાળારેપણુના વિધિ કરાવ્યે. જુનાગઢથી થલી-માંગરાળ-ચારવાડ-વેરાવળ-પ્રભાસપાટણ-કોડીનાર-ઉના-અજરા દેલવાડા, વગેરે સૌરાષ્ટ્રના પ્રાચીન ઐતિહાસિક તીર્થોની યાત્રા કરતા, અને સર્વત્ર રાજસી સન્માન મેળવતા આ સંઘ અનુક્રમે મહુવા બ ંદરે પધાર્યાં. આ ગામ ભાવનગર રાજ્યનુ હતુ, તેમ જ આપણા પૂજ્યશ્રીનું પવિત્ર જન્મસ્થળ હતું. એટલે ભાવનગર રાજ્યે સ’ઘની સગવડ માટે કરેલે દાખરત અદ્દભુત હતા. ભાવનગરના વયવૃદ્ધ દિવાન સર પ્રભાશંકર પટ્ટણો પેાતાની નાદુરસ્ત તખિયતે પણ અહી આવ્યા. તેમની ઇચ્છા પૂજયશ્રીને મળવાની હતી. તેઓએ સૌ પહેલાં પૂજ્યશ્રીને મળવાનું કાર્ય કર્યું". આવી તબિયતમાં પણ તેમના ચિત્તોત્સાહ અવણ્ય જણાતા હતા. પૂજ્યશ્રીની સાથે તેએએ પ્રસન્નતાથી વાતચીત કરી. ત્યારબાદ તેમના પ્રમુખપદે સંઘવીજીને માનપત્ર અપાયુ. પછી તેઓ ગયા. મહુવાથી દાઠા થઈને સંધ તળાજાતીર્થે આવ્યા. ત્રણ દિવસ રહ્યો. અહીં શ્રી અનન્તરાય પટ્ટણી આદિ અધિકારીએ ભાવનગરથી દર્શન માટે આવ્યા. તેમના પ્રમુખપદે . માનપત્રનેા મેળાવડા થયા. તળાજાથી દેવળિયા–રાથળી–પાણિયાલી થઈને સંઘ પાલિતાણા આવી પહોંચ્યા. અહીં સંઘનું અભૂતપૂર્વ સ્વાગત થયુ. પાલિતાણાની સમગ્ર જનતા અને રાજ્યના દ્વિવાન શ્રી મૂળરાજસિંહજી આદિ અમલદારા સામૈયામાં જોડાયા. બરાબર ચાર કલાક ફરીને એ સામૈયુ તળાટી પાસે નખાયેલા સંઘના પડાવે ઉતર્યુ. ખીજે દિવસે અપેારે દ્વિવાન સાહેબ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને એ કલાક સુધી અનેક વાતા કરી. એ દિવસ પછી સૌએ ગિરિરાજની યાત્રા કરી. તે વખતે શુભ ચાઘડિયે પૂજ્યશ્રી આફ્રિ ગુરુદેવએ સંઘવીજીને તી માળ પહેરાવી. પછી સંધવીજીએ શ્રીઆદિનાથ પરમાત્માની પૂજાભક્તિ કરવા સાથે રૂ. ૨૧ હજારની કિ ંમતના રત્નજડિત હાર પહેરાવ્યા, તીથ માળાના દિવસને પાલિતાણાના ઠાકારસાહેબે કાયમ માટે અહિંસાદિન તરીકે પાળવાના હુકમ જાહેર કર્યાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy