SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ વિરુદ્ધચા ২७७ આ પછી સંઘ બાર ગાઉની પ્રદક્ષિણાએ ગયા. રાહિશાળા થઈને કદંબગિરિની યાત્રા કરી. અહી' સઘવીજીએ આદેશ લીધેલ ત્રણ મજલાના ભવ્ય ઉપાશ્રય તૈયાર થવા આગ્યે હતા. અહીથી હસ્તગિરિની યાત્રા કરીને સંઘ પુનઃ પાલિતાણા આવ્યા, અને પૂજ્યશ્રી આદિ કદ ગિરિ રોકાયા. સઘ પાલિતાણા આવતાં ત્યાં જામનગરના ના. જામસાહેબ શ્રીક્રિવિજયસિ'હજી સંઘની મુલાકાતે આવ્યા. સંધવીજીએ તથા પાલિતાણા રાજ્યે તેઓનું ચૈાગ્ય સન્માન કર્યું.. તે પાછા ગયા ખાદ પાલિતાણાના ઠાકારશ્રીની પ્રીતિપૂર્ણ મુલાકાત વખતે સંધવીજીએ પચીસ હજાર રૂપિયાનું દાન ક્ષયના દર્દી એને રહેવા માટેની સેનેટરીયમ ખાંધવા માટે જાહેર કર્યું. ખીજી પણ ઘણી રકમા તેમણે પાલિતાણાની ભિન્ન ભિન્ન સંસ્થાઓને દાનમાં આપી. લગભગ ૭૫ હજાર રૂપિયાના સદ્ગૃય તેમણે પાલિતાણામાં જ કર્યાં. પૂજયશ્રી આદિની પવિત્ર પ્રેરણાથી સંઘવીજીને સંઘ કાઢવાની ભવ્ય ભાવના થઈ, અને એ ભાવનાના મૂર્ત સ્વરૂપ સમાન આ અવિસ્મરણીય યાત્રાસંઘ દ્વારા જિનશાસનની જયપતાકા ફરકાવીને સંઘવીજી સપરિવાર રેલ્વે દ્વારા જામનગર તરફ વિદાય થયા. —X—-X—X-X— [૫૩] લાગવિદ્રાએ કર્દમગિરિમાં ડુંગર ઉપર બંધાતા શ્રીઋષભવિહારપ્રાસાદ તૈયાર થઈ ગયા હતા. તેમાં શ્રીઆદીશ્વર પ્રભુની ૯૧ ઇંચની શ્વેતપાષાણુનિર્મિત ભવ્ય પ્રતિમા પરિકર સાથે પધરાવવાની હતી. ભમતીની ખાવન દેવકુલિકાઓમાં પણ અનેક ખિમે પધરાવવાના હતા. એની સાથે-સૂકુંડની પાસેની જમીનમાં શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીએ એ માળ અને ભૂમિગૃહ સમેત શ્રીગિરનારાવતાર પ્રાસાદ' બધાન્યા હતા. તેમાં વચલા માળે મૂળનાયક તરીકે શ્રીનેમિનાથ પ્રભુ પધરાવવાના હતા. એના આદેશ ભાવનગરના શેઠ માણેકચંદ જેચંદ જાપાને લીધેા હતા. ઉપરના માળે શ્રીસીમ ધરસ્વામી પધરાવવાના હતા. તેના (દેરાસર સાથે) આદેશ ખંભાતવાળા શેઠ બુલાખીદાસ નાનચંદના સુપુત્રા શેઠ મૂળચંદભાઈ વગેરેએ લીધે હતા. બન્ને શ્રેષ્ઠિવ પૂજ્યશ્રીના અનન્ય ગુણાનુરાગી ભકત હતા. પૂજ્યશ્રીના ઉપદેશથી તેઓએ આ આદેશ લીધેલા. આ બન્ને મહાપ્રાસાદોની પ્રતિષ્ઠા કરવાના નિય લેવાયા હતા. તે અ ંગેના શુભમુહૂર્તો પૂજ્યશ્રીએ ફરમાવ્યા. તે મુજબ ચૈત્ર વિક્રે ૧૧ થી વૈશાખ શુદ્ધિ ૧૨ સુધી સત્તર દિવસના મહામહેાત્સવ ઉજવવાના નિર્ણય થયા. એ અંગેની તૈયારીએ શરૂ થઈ. નિમ...ત્રણા પાઠવવામાં આવ્યા. પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે અંજનશલાકા કરાવવા માટે ઠેર-ઠેરથી લેાકેા જિનષિમા લાવવા લાગ્યા. કદંબગિરિમાં પધરાવવાના અને બહારગામથી અજન માટે આવેલાં, બધાં મળીને કુલ ૫૦૦ ઉપરાંત જિનખિએ એકત્ર થયા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy