SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના ર૭૫ એ બને પૂની નિશ્રામાં ઉદ્યાપન-મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયે. સંઘમાં અને જ્ઞાતિમાં મતભેદ હતા. પરસ્પરના ઉપાશ્રયે જવાને પણ વ્યવહાર ન હતું. પરંતુ–પૂજ્યશ્રી જ્યાં બિરાજ્યા, અને વ્યાખ્યાન શરૂ કર્યું, કે હંમેશાં બંને પક્ષના સર્વ લેકને પ્રવાહ ત્યાં આવો શરૂ થઈ ગયે. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળવાને અણમેલ લાભ મળતો હોય, ત્યાં જ્ઞાતિના ઝઘડાને કણ ગણકારે ? જે કે-સંઘમાં અય લાવવાના પ્રયાસે ચાલુ જ હતા. પૂજ્યશ્રી વગેરેના ઉપદેશ-સિંચનને પરિણામે શેઠ પિપટભાઈની તથા શેઠ ચુનીભાઈની સંઘ કાઢવાની ભાવના દઢ બની ગઈ હતી. ચાતુર્માસ પછી તુર્ત જ સંઘ કાઢવાને નિર્ણય લેવાઈ ગયે. એટલે તેઓની તથા સંઘની વિનંતિથી સં. ૧૯૯૩ નું આ માસું પૂજ્યશ્રીએ તથા શ્રીસાગરજી મહારાજે ત્યાં જ કર્યું. આ ચોમાસામાં પણ સંવત્સરી–ભેદ હતે. ભા. શુ. બે પાંચમના સ્થાને શાસ્ત્રીય પરં. પરાનુસાર પૂજ્યશ્રી આદિ શ્રીસંઘે બે ચોથ કરીને ઉદયાત્ બીજી ચોથ-ગુરૂવારે સંવત્સરી પર્વ આરાધ્યું. જ્યારે ગત વર્ષે જુદા પડેલા અમુક વર્ગ આ વર્ષે પણ બુધવારે જ આરાધના કરી. “અવયંભાવી ભાવ અન્યથા નથી કરાતો” એમ વિચારીને સંઘે શાંતિપૂર્વક આરાધના કરી. જામનગરમાં જૈન ભજનશાળાની તથા આયંબિલશાળાની જરૂર હતી. પૂજ્યશ્રી વગેરેના સદુપદેશથી એ બંને જરૂરિયાતે શેઠ પિપટભાઈ તથા ચુનીભાઈએ આ વર્ષે પૂર્ણ કરી. શ્રી કદંબગિરિ-તીર્થમાં એક ઉપાશ્રયની આવશ્યકતા હતી. ખંભાત પાસે “દેવા’ ગામમાં પણ ઉપાશ્રયની અગવડ હતી. એ અંગે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં શેઠ પિપટભાઈ એ કદંબગિરિના ઉપાશ્રયને આદેશ લીધે. અને દેવામાં એક મકાન ખરીદીને સંધને ઉપાશ્રય માટે સમપ્યું. ' યાત્રા સંઘ અંગેની તૈયારીઓ ચાલુ હતી. અનુભવી આગેવાની સલાહ-અનુસાર વ્યવસ્થા ગોઠવાતી હતી. સામગ્રીઓ એકત્ર કરાતી હતી. સુંદર પુસ્તિકાકારે નિમંત્રણ પત્રિકા છપાવીને સર્વત્ર મોકલવામાં આવી. ચોમાસું પૂર્ણ થતાં પૂજ્યશ્રીએ આચાર્યશ્રાવિવિજ્ઞાનસૂરિજીના શિષ્ય પ્રવર્તક મુનિશ્રી કસ્તુરવિજયજીને, તથા આચાર્યશ્રીવિજયનંદનસૂરિજીના શિષ્ય મુનિશ્રી સેમવિજયજીને કાર્તક વદિ અગિયારસે ગણિપદ, તથા માગશર શુદિ ત્રીજે પંન્યાસપદ સમપ્યું. આ પછી શુદિ પાંચમે શાન્તિસ્નાત્ર કરીને અઠ્ઠાઈ મહોત્સવની પૂર્ણાહુતિ થયા બાદ પૂજ્યશ્રી તથા પૂ. સાગરજી મ., આચાર્યશ્રીવિજય મેહનસૂરિજી મ. વગેરે અનેક ગુરુભગવંતોની પવિત્ર નિશ્રામાં છરી” પાળતાં હજારો ભાવિકના સંઘ સાથે શેઠ પોપટભાઈ તથા શેઠ ચુનીભાઈએ ભારે દબદબાપૂર્વક સૌરાષ્ટ્ર તરફ મંગળપ્રયાણ કર્યું. જામનગર રાજ્યના દિવાન સાહેબ આદિ અધિકારીઓ અને સર્વ નગરજને સંઘને વિદાય આપવા હાજર રહ્યા. ત્રણ દિવસ ગામ બહાર રહીને સંઘ આગળ વધ્યા. સંઘને પડાવ જ્યાં થતું, ત્યાં દેવનગરની મનહર રચના થતી. સૌને માટે રહેવાની ખાવાપીવાની વગેરે તમામ બાબતની વ્યવસ્થા સુંદર કરાઈ હતી. ટપાલખાતું, તેમ જ સૌની ફરિયાદ સાંભળીને તેને નિકાલ કરવા માટેની કચેરી વગેરેની સુંદર વ્યવસ્થા હતી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy