SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ સંબંધો હતા. તેઓ પૂજ્યશ્રીના સામૈયામાં કરી. સંમેલન પછીના મીઠાં–કડવા ખનાવા વિચારણા કરી. ગમનસાર્ આવ્યા. અને પૂજ્યવર્યા મળ્યા. અનેક ચર્ચાઓ અને તેના પ્રત્યાઘાતાને અંગે પણ મુક્ત હૃદયે શુભ મુહૂતે શેઠ મૂળચંદ બુલાખીદાસે અનેરા ઉલ્લાસથી ઘણા ધનવ્યય કરીને ભવ્ય ઉદ્યાપન મહાત્સવ ઉજન્મ્યા. આ અરસામાં જ જામનગરના શેઠશ્રી પેાપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વગેરે શ્રાવકા પૂજ્યશ્રીને જામનગર પધારવાની વિન ંતિ કરવા આવ્યા. શેઠશ્રી ચુનીભાઈએ ઉજમણું કરાવવાનું નક્કી કરેલું. તે માટે પૂજ્યશ્રીને ત્યાં લઈ જવા તેઓ આવ્યા હતા. વળી શ્રીમાકુભાઈ શેઠે સધ કાવ્યો, ત્યારે જુનાગઢમાં શેઠશ્રી પાપટભાઈએ એક સધજમણુ કરેલું. તે વખતે તેમના ચિત્તમાં પણ તેવા સંઘ કાઢવાના શુભ મનારથ થયેલા. એ વખતે તેઓએ પ્રતિજ્ઞા પણ ધારણ કરેલી કેઃ ‘આવા સંઘ હું ન કાઢું, ત્યાં સુધી એક વિશિષ્ટ ખાદ્ય પદાર્થોના ત્યાગ.’ હવે એ પ્રતિજ્ઞાને સફળ બનાવવા તે વિચારતા હતા. તે માટે પણ તે પૂજ્યશ્રીને જામનગર લઈ જવા ઈચ્છતા હતા. તેની શુભભાવનાપૂર્ણ વિનંતિને સ્વીકાર કરીને પૂજ્યશ્રીએ ખંભાતથી જામનગર માજી વિહાર કર્યાં. માગ માં ઠેર ઠેર સેંકડો ભાવિકોને ધર્મલાભ આપતાં આપતાં અને અનેક ધ કાર્યો કરાવતાં પૂજ્યશ્રી ધેાલેરા-ધંધુકા-રાણપુર-પાળિયાદ-વીંછીયા થઈને રાજકોટ પધાર્યાં. અહીંયા મૂર્તિ પૂજક તથા સ્થાનકવાસી એ ઉભય સ ંઘે સાથે મળીને સામૈયુ કર્યું. આઠ દિવસ રોકાયા. વીશા શ્રીમાળી સંઘે દશા શ્રીમાળીની વિશાળ વાડીમાં પૂજા–સાધમિ ક-વાત્સલ્યાદિ કર્યું. હમેશાં વ્યાખ્યાન પણ ત્યાં વંચાતું. પાંચ પાંચ હજારની મેદ્યની પૂજ્યશ્રીની દેશના સાંભળવા ઉમટતી. રાજકેટથી પૂજ્યશ્રીએ વિહાર કર્યાં, ત્યારે પહેલા મુકામે આખા સ ંઘ આળ્યે, અને ત્યાં પૂજા-જમણુ વગેરે કરીને લાભ લીધેા. અહી‘થી આગળ વધતાં અલીયાવાડા ગામમાં કેવળ સ્થાનકવાસી ભાઈ એની જ વસતિ હતી. અત્યારે તેઓની આર્યાએ પણ અહીં હતી. પણ પૂજ્યશ્રી જ્યાં જતાં, તે પહેલાં જ ત્યાં તેઓશ્રીના પ્રભાવ પહેાંચી જતા. અહી પણ એવુ જ થયેલુ, એટલે આર્યાએ સહિત એકેએક સ્થાનકવાસી ગૃહસ્થે તેઓશ્રીનુ ભક્તિપૂર્ણ સ્વાગત કર્યું. પોતાના સ્થાનકમાં લઈ જઈને વ્યાખ્યાન પણ સાંભળ્યુ. અહી’થી જામ–વણથળી આવ્યા. જામનગરમાં વીશા શ્રીમાળી અને એસવાલ જ્ઞાતિમાં અને સઘમાં કેટલાક સમયથી ઝઘડા ચાલતા હતા. એ પક્ષ પડી ગયેલા. એ બંને પક્ષના શ્રાવકાએ અહી' આવીને પાતપાતાના ઉપાશ્રયે પધારવાની વિનંતિ કરી. પણ પૂજ્યશ્રીએ સમયસૂચકતાથી કહ્યું કે: અત્યારે તે હું ચુનીભાઇના ઉજમણાના પ્રસંગે આવ્યા છે. એટલે ત્યાં આવવા દે. પછી સૌ સારાં વાનાં થશે. પછી તેએશ્રી સ્વાગતસહુ જામનગર પધાર્યાં. પૂજ્ય શ્રીસાગરજી મહારાજ સપિરવાર ગત ચાતુર્માસથી અહીં બિરાજમાન હતા. તે પણ સામૈયામાં આવ્યા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy