SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના: પાળતા સંઘ કાઢ્યો. પૂજ્યશ્રી સંઘ સહિત શેરીસા પધાર્યાં. ત્યાં શ્રીચીમનભાઈ એ સમ્યક્ત્વ સહિત બારે વ્રત પૂજ્યશ્રી પાસે ઉચ્ચર્યાં. એમાં બ્રહ્મચર્યાં વ્રત યાવજીવ ઉચ્ચયું. શેરીસાથી પૂજયશ્રી સપરિવાર ભેાયણી તીર્થે પધાર્યાં. અહી' ચારેક દિવસ રહ્યા. અહીંના દેરાસરના ભોંયરામાં શ્રી શાન્તિનાથ પ્રભુની એક પ્રતિમા હતી. આ પ્રતિમા તીર્થં પતિ શ્રી મલ્લિનાથ જેવી જ હતી. એ બંને પ્રતિમાએ સાથે જ પ્રગટ થયેલી. પણ આ શાન્તિનાથજીની પ્રતિમાના કાન તથા અંગૂઠાના ભાગ સહેજ ખંડિત હતા, તેથી ભેાંયરામાં અપૂજનીય અવસ્થામાં મૂકી રાખેલી. ૨૭૩ એના દર્શીનથી પૂજ્યશ્રીને ઘણી પ્રસન્નતા થઈ. આવી અલૌકિક અને પ્રાચીન પ્રતિમા અપૂજનીય રહે એ તેઓશ્રીને ન ગમ્યું. તરત જ તેએશ્રીની પ્રેરણાથી શેઠ જિનદાસ ધદાસના પેઢી (કદમગિરિ)એ ભેાયણીના વહીવટદારા પાસે એ મૂર્તિની માંગણી કરી. વહીવટદારાની સમતિ મળતાં એ મૂર્તિ ત્યાંથી મહુવા લઈ જવાઈ. ત્યાં પેઢીએ એ મૂર્તિના ખંડિત ભાગે પર સાચાં મેાતીના લેપ કરાવીને અને અખડ બનાવી, આ મૂર્તિ મહુવામાં બંધાતા શ્રી ઋષભ શાંતિ વિહારમાં ઉપરના મજલે મૂળનાયક તરીકે શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી પધરાવવાના નિણુ ય થયા. ભેાયણીથી પૂજ્યશ્રી મદ્રીસાણા પધાર્યા. અહીં` ઉપાશ્રયની જરૂર હતી. એ માટે ગૃહસ્થાને ઉપદેશ આપીને ટીપ કરાવી આપી. અહીંથી શંતેજ પધાર્યાં. અહીંયા એક ટેકરા જેવી જમીન પર બાવન જિનાલયવાળુ' જીણુ દેરાસર હતું. આ દેરાસરના જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીના સદુપદેશથી શેઠ જમનાભાઈ ભગુભાઈ એ કરાવ્યા. રાંતેજથી અનુક્રમે શ ંખલપુર થઈને છાપાવાડા આવ્યા. અહીં પશુ ઉપાશ્રયની અગવડ દૂર કરાવી. અહીંથી ફૂવડ–કુંવારદ થઈ શખેશ્વર આવ્યા. ફૂવડ—કુંવારદના દેગસરા જીર્ણોદ્ધાર શ ંખેશ્વરજીના કારખાના મારફત કરાવ્યા.શ ંખેશ્વરમાં આઠ દિવસ રહ્યા. અમદાવાદ—જૈન સાસાયટીવાળા શ્રી રતિલાલ કેશવલાલને પૂજ્યશ્રીની નિશ્રામાં મહે ત્સવ કરાવવાની ભાવના હતી. એ માટે તેઓ અહી વિન ંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ તેના સ્વીકાર કર્યાં. એવામાં જ ખંભાતથી શેઠ મૂળચંદ બુલાખીદાસ વગેરે આગેવાના આવ્યા. તેમણે ખ'ભાત પધારવાની વિન ંતિ કરી. મૂળચંદભાઇની ભાવના પેાતાના ચિ. રતિભાઈ ના લગ્ન પ્રસંગે માટું. ઉજમણું કરવાની હતી, પૂજ્યશ્રીએ કર્યું ; અત્યારે તે આ મહાત્સવ પ્રસંગે અમદાવાદ જવુ' છે. એ પછી જોઈશું. આ પછી તેએશ્રી વિહાર કરીને અમદાવાદ પધાર્યાં. માર્ગમાં પાનસર મુકામે ખંભાતવાળા પુનઃ આવ્યા, અને આગ્રહ કરીને ખંભાત પધારવાની જય એલી ગયા. અમદાવાદમાં રતિભાઈએ અષ્ટોત્તરી સ્નાત્ર સાથે અઠ્ઠાઈ મહાત્સવ ભવ્ય ઠાઠથી ઉજન્મ્યા. અમદાવાદથી વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. અહી` પૂજય આચાર્ય શ્રીવિજય. વલ્લભસૂરીશ્વરજી મહારાજ સપરિવાર બિરાજતા હતા. તેઓના પૂજ્યશ્રી સાથે ઘણાં મીઠાં ૩૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy