________________
ઐતિહાસિક મુનિસંમેલન
ચૈત્ર વદ અગિયારસે વડાવીલામાં ચતુર્વિધ સ ́ધ ભેગા થયા. સવ સાધુ-સાધ્વી મહારાજો અને ગામ-પરગામના હજારો શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહ્યા હતા. તેઓ સમક્ષ શ્રીનગરશેઠે સ ંમેલનના પગરણના પ્રાર’ભથી માંડીને પૂર્ણાહુતિ સુધીની સ` બીનાઓને આવરી લેતું ટૂંકું પણ સચાટ ભાષણ આપ્યુંઃ—
પરમ તારક શ્રીતીર્થંકર દેવાથી નમસ્કૃત થયેલા ચતુવિધ શ્રીસ ંઘમાં અગ્રપદે વિરાજતા શાસન રાધારી પરમપૂજ્ય આચાર્ય દેવાદિ મુનિપુંગવા, પૂજ્યશ્રી સાધ્વીજીએ, શ્રાદ્ધગુણવિભૂષિત ભાઈઓ અને બહેન !
૨૫૫
આપ શ્રમણપ્રધાન ચતુવિધ શ્રીસંઘના દન કરીને હું કૃતાર્થ થાઉં છું. આજના દિવસ શ્રીજૈનશાસનના ઈતિહાસમાં એક પુણ્ય સ્મારક તરીકે ચિરંજીવ રહેશે.
છેલ્લાં ઘેાડાંક વર્ષોથી આપણા જૈન સમાજમાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણુ ઉત્પન્ન થયુ હતું. આટલું પણ આપણા અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રીવીતરાગ શાસનમાં છાજે નહિ, અને પૂજ્યશ્રી મુનિસંઘ એકત્રિત થઈ ને ચર્ચાસ્પદ પ્રશ્નોના નિચા જાહેર કરે તેા એ વાતાવરણને દૂર કરી શકાય, એમ આપણા સમાજના વિચારશીલ મુનિવ અને ગૃહસ્થાને લાગવાથી જુદે જુદે સ્થળે ચાતુર્માસા બિરાજતા પૂજ્ય આચાર્યાદિ મુનિવચે સાથે જરૂરી વાટાઘાટ (ગૃહસ્થા દ્વારા) ચાલી રહી હતી, અને તેઓશ્રીએ પેાતાનુ સંમેલન ભરવાનું નક્કી કર્યું. હતું.
આ શુભ સમાચાર પ્રાપ્ત થતાં ચાલુ વર્ષના કાર્તિક સુદ ૧૩ના આપણા રાજનગરના શ્રીસંઘના આગેવાન ગૃહસ્થાએ મળી પૂજ્ય શ્રીજૈન શ્વેતાંખર મુનિસ ંમેલન ભરવાનું આમંત્રણ કરવા માટે પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે જવાનું નક્કી કર્યુ હતુ. આ નિર્ણુય મુજબ ચાલુ વર્ષના પાષ સુદ ૬ ના રોજ હું અને બીજા ત્રીસ ગૃહસ્થા પાલિતાણા ગયા અને ત્યાં બિરાજતા પ. પૂ. આચાર્યાદિ મુનિવર્યંને મળ્યા. પરમપૂજ્ય આચાદેવ શ્રીમદ્રેમિસૂરીશ્વરજી મહારાજે મુનિસ ંમેલન માટે ફાગણવદ ત્રીજનું મુહૂત કાઢી આપ્યુ. આ પછીથી મુનિસંમેલનમાં પધારવા માટે લાઠીઢડ, સુરત, ધમજ, વઢવાણુ, ખંભાત, પાટણ, ઈન્દ્રોડા, બામણવાડા, ભીનમાલ, સેરીસા, સાણંદ, વીરમગામ, વલાદ, વટવા વગેરે સ્થળે તેમજ અત્રે જુદા જુદા ઉપાશ્રયે બિરાજતા પૂજ્ય આચાર્ય દેવાદિ મુનિવર્યાંને આમ ત્રણ આપવા કેટલાક ગૃહસ્થા સાથે હું ગયેલા અને દરેક સ્થળે મુનિસ’મેલનને આવકારદાયક જણાવવામાં આવ્યુ અને મુનિસ ંમેલનમાં પધારવાના ચાક્કસ જવાબ પૂછતાં તેઓશ્રીની ધમ મર્યાદાને ચાગ્ય આશાભર્યાં જવાબે મળ્યા હતા. અને આપણે જોઇ શકયા છીએ કે લગભગ બધા મુનિમહારાજાએ અત્રે પધાર્યાં હતા.
સાધુસ મેલન ભરવા માટેનુ આપણુ આમંત્રણ સ્વીકારાયા બાદ તેને અંગેની સ ગેાઢવણા કરવા માટે મહા સુદ ખીજના અત્રે મળેલી આપણા શ્રીસંઘની સભામાં સ્વાગત મંડળની નિમણૂક કરવામાં આવી. આ સ્વાગત મંડળે કાર્યંની સુવ્યવસ્થા માટે વૈયાવચ્ચ સમિતિ, સેવાદળ સમિતિ, અને મડળ સમિતિ નીમી હતી. અને આ સમિતિએ આજ સુધી ઘણી ઘણી મીટીંગે ભરી તેમની ફરજ સતાષકારક રીતે ખજાવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org