SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શાસનસાદ વવાની તેમની ભાવના થતાં તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે ; આપ સાહેબ ત્યાં પધારો, અને મહાત્વપૂર્વક પ્રભુજીના મંદિર-પ્રવેશ કરાવા. તે અ ંગેનુ' મગલ-મુહૂત પણ ફરમાવેા. પૂજ્યશ્રીએ તેમની વિનંતિ સ્વીકારી. જો કે–તેઓશ્રીએ તેા આ પ્રવેશની સાથે પ્રતિષ્ઠા કરવાની પણ પ્રેરણા આપી. પણ સારાભાઈની ભાવના ઉદાત્ત હતી. તેમના વિચાર હતા કે– દેરાસરની ફરતી સુ ંદર દેરીએ-ખાંધીને ખાવન જિનાલય બનાવવું. પછી પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરાવવી. આ માટે તેમણે જગ્યા પણ રાખેલી. આ ભવ્ય ભાવનાથી તેમણે તત્કાલ પ્રભુ પ્રવેશના શુભ મુહૂત માટે જ પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રીએ પ્રવેશનુ મહા-મંગલકારિ મુહૂત કાઢ્યું. પ્રવેશચક્ર તથા વિયાગ સાથેને મહા શુદ્ધિ પાંચમના દિવસ નકકી થયા. સારાભાઇએ એ મુહૂત ને સહર્ષ વધાવી લીધું. મહે।ત્સવની તૈયારીએ આદરી. યેાગ્ય સમયે પૂજ્યશ્રી પણુ વિહાર કરીને શેરીસા પધાર્યા. મહેાત્સવ અંગેના વિધિ-વિધાના શરૂ થયા. કુંભસ્થાપના-નવગ્રહાઢિ પૂજન-નંદ્યાવત પૂજન વગેરે વિશિષ્ટ પૂજને ભણાવા લાગ્યા. સાથે નવ દિવસની નવકારશીઓ પણ નોંધાઈ ગઈ. અને ઘણાં વર્ષથી અપૂજનીય રહેલા પ્રાચીન ખિ`બેની શુદ્ધિ તથા પૂજ્યતા માટેના ગુરૂપરપરાગત ખીજા પણ કેટલાંક વિધાના કરવામાં આવ્યા. જોતજોતામાં પ્રવેશના માંગલકારી દિવસ આવ્યે. અહીં એક ગુંચ ઊભી થઈ હતી. એના ઉકેલ કેાઇનાથી નહાતા થતા. બનેલુ એવુ કે–શ્રી શેરીસાપાર્શ્વ પ્રભુની એ પ્રાચીન પ્રતિમાએ હતી. બંને પ્રાચીન. બંને શ્યામ. તે એક માપની. હવે આ બેમાંથી મૂળનાયક તરીકે કઈ પ્રતિમા–રાખવી, ગણવી ? અને મૂળનાયક તરીકે કોના પ્રવેશ કરાવવા? એ પ્રશ્ન થઈ પડયો. એના ઉકેલ કાઈ ન કરી શકયું. છેવટે પૂજ્યશ્રીએ કહ્યું ; અને પ્રભુજીના પ્રવેશ કરાવેા.’ એમજ થયું”. સેંકડો ભાવિકાની હાજરીમાં મંગળ વેળાએ વિશુદ્ધ મ ંત્રોચ્ચારપૂર્વક એ બન્ને પ્રભુ-મૂર્તિ એના ગભારામાં પ્રવેશ ાવવામાં આવ્યે. પૂજ્યશ્રી તથા શેઠ સારાભાઈ અમાપ આનંદ અનુભવી રહ્યા હતાં. પ્રભુજીને પખાસણ પર ખરાખર બિરાજમાન કર્યાં ખાદ સકલ સંઘે પૂજયશ્રી સાથે ચૈત્યવંદનાદિ ક્રિયા કરી. વિધિકારકોએ સ્વયેાગ્ય ક્રિયાઓ કરી. પછી સૌ વિખરાયા. પૂજ્યશ્રી આદિ પણ ઉપાશ્રયે પધાર્યા. ફક્ત આ. શ્રીવિજયન દૈનસૂરિજી મ. તથા વિધિકારક શ્રીભાગીભાઈ ગુલાબચંદ અને શેઠ પ્રતાપસિંહ માહેાલાલભાઈ ગભારામાં રહ્યા. તેએ એકત્ર થઇને ક્રિયા અંગેની વિચારણા કરતા હતા. આખા દેરાસરમાં તેમના સિવાય ચેાથું કાઇ ન હતુ. ત્યાં જ—એકાએક અદ્ભુત ચમત્કાર સર્જાય. કારણથી તે અંધે કાર્ય થાય છે. પણ કારણ વિના કાર્ય થાય ત્યારે તે ચમત્કાર કહેવાય છે. અહી પણ એવું બન્યુ. એમાંથી એક પ્રતિમાના અંગામાંથી અમી ઝરવુ' શરૂ થયું'. આધુનિક લોકા કહે છે કે–સેંકડો લેાકેા ભેગાં થયા હાય, તેમના શ્વાસોચ્છ્વાસના કારણે થતા બફારા જ આ કહેવાતાં ‘અમીઝરણાં’ છે. પણ તેમનું માનેલું આ કારણ અહી' ન હતું. આ દેરાસરમાં તે ફક્ત ત્રણ જ વ્યક્તિઓ હતી. માટે જ અઢી કારણ વિનાના કાર્ય સ્વરૂપ ચમત્કાર થયા. પ્રતાપશીભાઈની તથા આચાર્ય મ.ની દષ્ટિ સહસા ત્યાં ગઈ. પાસે જઇને પ્રભુજીને હાથ લગાડચો તા હાથ ભીના ભીના. ભોગીભાઈ એ પણ એ નિહાળ્યું. જેમ સમય વીતતા ગયા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy