SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ અનુશાસક શિષ્યરત્ના ન્યાય–વ્યાકરણ-સાહિત્ય-ષડ્ઝન વગેરે ગહન વિષયામાં પારગામિત્વ મેળવતાં. શાસ્ત્રીજી પણ આછાં કડક નહાતાં. કોઈ સાધુ ખરાબર ન ભણે, તે તેને તેઓ કડક શબ્દોમાં શિખામણ આપતાં પણ ખચકાતા નહિ. પૂજ્યશ્રીએ શિષ્યાને વ્યવસ્થિત રીતે ભણાવવા માટે એક સુંદર અને સર્વોપયાગી (જનરલ) પાઠ્યક્રમ તૈયાર કરાવ્યો હતા. એ પ્રમાણે ભણનાર-પછી તે મંદબુદ્ધિવાળા હોય કે મેધાવી હાય, પણ અવશ્ય વિદ્વત્તા મેળવવા સમર્થ થતા. ૨૭૫ આ પાઠ્યક્રમ તેએશ્રીએ ૧૯૮૭ના આ ચાતુર્માસમાં પ્રેા. આનંદશંકર બાપુભાઈ ધ્રુવને દેખાડ્યો. આન'દશંકરભાઈ આ દિવસેામાં સ્યાદ્વાદમંજરી'નુ' અંગ્રેજી ભાષાંતર કરતા હતા. એમાં આવતાં સપ્તભંગી- સપ્તનય–નિક્ષેપ–મુ ડકેવલી-શ્રુત્વા કૈવલી-અશ્રુત્વા કેવલી વગેરે વિષયાનુ વિસ્તૃત વર્ણન સમજવા તથા તે વિષયા કયા કયા ગ્રંથામાં કયા સ્થાને ચર્ચવામાં આવ્યા છે, તેની જાણકારી મેળવવા તેઓ ઘણીવાર પૂજ્યશ્રી પાસે આવતા. પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા માટે તેમને ઘણુ બહુમાન હતું. તેએ આ પાઠ્યક્રમ જોઈને ખૂબ પ્રસન્ન થયા. અને પૂજ્યશ્રીની પઠન-પાઠન અંગેની સતત કાળજીની પ્રશંસા કરી. એ પાઠ્યક્રમની તેમણે નોંધ પણ કરી લીધી. આ ચામાસામાં પૂજ્યશ્રીની તથા આચાર્ય શ્રીવિજયનન્દનસૂરીશ્વરજી મ. ની શારીરિક અસ્વસ્થતાને કારણે તેઓશ્રી શાહીબાગમાં આવેલી શેઠ ભેાળાભાઈ જેશી ગભાઈની જાસુદખાઈ સેનેટારીયમના ઉપાશ્રયમાં ઘણી વખત રહ્યા. એકવાર શેઠશ્રી માણેકલાલ જેઠાભાઈ તથા શેઠશ્રી ભાળાભાઈ જેશીગભાઈ એ આવીને પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી કે : આપશ્રી એક સ્થાયી સંસ્કૃત પાઠશાળાની ચાજના અમને સૂચવેા. તે પ્રમાણે અમે એ પાઠશાળા સ્થાપીએ. એમાં એક લાખ રૂપિયા અમે આપીએ અને ખીજા પાંચ લાખ રૂપિયા મુંબઇ જેવા સ્થળેથી એકત્ર કરી લાવીએ. જેથી એ પાઠશાળા યુદ્ધગિરિ જેવાં પવિત્ર સ્થળે કાયમ વ્યવસ્થિત રીતે ચાલુ રહે. પૂજ્યશ્રીને આ વાત સમયાનુસાર ઘણી યેાગ્ય જણાઈ. પણ તે સમયના અમુક સંચાગાના વિચાર કરીને તેઓશ્રીએ એ માટે ના ફરમાવી. આ પછી શેઠ માણેકલાલ જેઠાલાલે સાર્વજનિક ગ્રંથાલય (એમ. જે. લાયબ્રેરી) માટે મેાટી રકમનું દાન કર્યું. ચાતુર્માસ પૂર્ણ થતાં શેઠ ચીમનલાલ લાલભાઈની વિન ંતિથી ઠાણાએઠાણું ત્યાં કર્યું. તેમણે પૂજ્યશ્રીની પધરામણીના હ માં અઠ્ઠાઈ મહેાત્સવ કર્યાં. આ વર્ષે પૂજ્યશ્રીના શિષ્યાએ વૈરાગ્યરીંગથી વાસત થયેલા અનેક કિશોર-યુવકે તથા પ્રૌઢ ભાવિકાને ભાગવતી પ્રવ્રજ્યા આપી. પૂજ્યશ્રીના અમેઘ ઉપદેશથી ભાવિત થયેલા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ શ્રીશેરીસાતીના ઉદ્ધાર તન-મન અને ધનના ભાગ આપવાપૂર્વક કરાવી રહ્યા હતા. જોધપુરી લાલ પાષાણજડિત ત્યાંનું નૂતન જિનમદિર લગભગ તૈયાર થવા આવ્યું હતું. એમાં સારાભાઇએ લગભગ ૩૫ લાખ રૂપિયાના સદૂભ્યય કરેલા. તે જિનાલયમાં પ્રભુજીના મંગલ-પ્રવેશ કરા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy