SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શાસનસમ્રાટ શિક્ષા ખમનારા શિષ્ય આજે કહે છે કે–ગુરૂ મહારાજને એક એક દોરે આજે અમારામાં એક એક વિશિષ્ટ ગુણપણે પરિણમે છે. પૂજ્યશ્રી પાઠ આપતાં હોય ત્યારે મોટાં ધનવાન શ્રેષ્ઠિઓ કે ગામ-પરગામના સંઘ આવીને બેસે તે પણ તેઓશ્રી યથાવત્ પાઠ ચાલુ જ રાખતાં, ને શિક્ષા પણ કરતાં. તેઓશ્રી ભણાવવામાં એટલાં તો એકાગ્ર બની જતાં કે કોઈના આવ્યા–ગયાને પણ ખ્યાલ ન આવત. આવનારને તે પાઠ પૂરે થાય ત્યાં સુધી બેસવું પડે. એ રીતે બેસનારા કેટલાંય ગૃહસ્થાએ પૂજ્યશ્રીની અધ્યાપનશૈલી અને કડક શિક્ષા નજરે જોઈ છે. તેઓ આથી ખૂબ પ્રભાવિત થતાં. પૂજ્યશ્રી દરેક ઠેકાણે ઉપાશ્રયની મધ્યમાં બિરાજતાં. ચારે તરફ વ્યવસ્થિતપણે શિષ્યસમુદાયે બેઠા હોય, ને જ્ઞાને પાર્જનમાં તન્મય હોય. એ દશ્ય જેવું એ પણ અણમોલ લ્હાવે હતે. કેઈ પણ શ્રાવકને એ મુનિવરે પાસે જવાની મનાઈ હતી. દૂરથી વંદન કરી લેવાનું. કેઈવાર શ્રાવક શાતા પૂછે, અને મુનિરાજ ઊંચું જોઈને ધર્મલાભ આપે કે સહેજ વાતચીત કરે, તો એ શ્રાવકને જ પૂજ્યશ્રી ઠપકે આપતાં કે–તારે વાત કરાવીને સાધુઓને બગાડવા છે ? અભ્યાસ કરતી વખતે સાધુઓને વાતે કરાવવાની હોય નહિ. - રાત્રે પ્રતિક્રમણ પછી સર્વ અભ્યાસી મુનિવરોને પુનરાવર્તન-આવૃત્તિ મોડે સુધી કરવાને નિયમ હતો. સહાધ્યાયી મુનિવરે ભેગાં મળીને સ્વાધ્યાય કરે. એ સ્વાધ્યાયરમણમાં રાત્રિના ૧૧-૧૨ વાગી જાય તો પણ ખ્યાલ ન આવે. શિષ્યોનું એકાંત હિત વાંછનારા પૂજ્યશ્રી રાત્રે મેડેથી પિતાની સાથેના માણસ “નારાયણને એકલે કે જા ! જોઈ આવ, બધાં ભણે છે કે વાતે કરે છે ?' નારાયણે પણ ભારે કાબેલ હતા. કોઈને ખબર ન પડે એવી ચુપકીદીથી સર્વત્ર તપાસ કરી આવે. એમાં જે કઈવાર કોઈ સાધુ વાત કરતાં ઝડપાઈ જાય, તે થઈ રહ્યું. પૂજ્યશ્રી તરત જ એને બોલાવે અને કડક શિક્ષા આપતાં કહે કે : “અલ્યા ! બરાબર મહેનત નહિ કરે, નહિ ભણે, તે વાણિયાના રોટલા નહિ પચે. મરીને ભરૂચના પાડા થશે. માટે બરાબર ભણે, બરાબર ધ્યાન રાખે.” એ શિષ્ય પણ એવા વિનયી અને આજ્ઞાપાલક કે એક વારની ટકેર જ એમને બસ થઈ પડે. ફરી કદી પણ એવી ભૂલ તેઓના હાથે ન જ થાય. આ પ્રભાવ હતો પૂજ્યશ્રીની કડક પણ કલ્યાણકારી અધ્યાપન પદ્ધતિને અને કડક આચારપરિપાલનને. એનું જ પરિણામ છે કે—જિનશાસનને નવ નવ આચાર્યો અને અનેક જ્ઞાનીધ્યાની–તપસ્વી મુનિવરે સાંપડ્યા.' સાધુઓને વિવિધ વિષયેનું અધ્યયન કરાવવા માટે પૂજ્યશ્રીએ બિહાર પ્રદેશના ભારતવિખ્યાત પંડિતવર શ્રીશશિનાથ ઝા, વગેરે શાસ્ત્રીઓને ૪૫-૪૫ વર્ષ સુધી રાખેલા. ન્યાયકુસુમાંજલિ, ખંડનખંડખાદ્ય, બાધાંત ગદાધરી સુધીને નવીન ન્યાય, વ્યુત્પત્તિવાદ, ગીતા, અદ્વૈતસિદ્ધિ-શાસ્ત્રદીપિકા, સંમતિતર્ક તથા સ્યાદ્વાદરત્નાકર વગેરે અનેક આકરગ્રંથને કંઠસ્થની જેમ રાખનાર તથા એવાં ગ્રંથો રચનાર એ મહાવિદ્વાન્ શાસ્ત્રીજી પાસે પૂજ્યશ્રીના ૧. પૂજ્યશ્રીની આ અધ્યાપન પદ્ધતિને આજે પણ તેઓશ્રીના શિષ્ય પ્રશિષ્યો તથા પરસમુદાયના સમર્થ સાધુઓ આદરપૂર્વક અને કૃતજ્ઞભાવે સંભારે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy