SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ddddddddddddddddddddddddddddddddddd; દીક્ષાના કાયદા તથા દેવદ્રવ્યના પ્રશ્ને સમાજનું વાતાવરણ ડોળાયું હતું. તેનું દુઃખ આચાર્ય મહારાજને તથા સંઘના આગેવાનને હતું. આ માટે તેમને મુનિસ`મેલનની જરૂરિયાત લાગી. શ્રીનગરશેડ કસ્તુરભાઇ મણિભાઈ તથા શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ શાસનના મુખ્ય મુખ્ય આચાર્યાને તથા તમામ ગચ્છના નાયકાને મળ્યાં. જેને પરિણામે અમદાવાદમાં ૪૦૦ સાધુ અને ૭૦૦ સાધ્વીજી મહારાજે એકઠાં થયાં. જૈનશાસનના સર્વ અંગેાના વિચાર કરવા માટેનું મુનિસ`મેલન શાસન માટે આ સૈકાના અભૂતપૂર્વ પ્રસંગ હતો, એ ૩૩ દિવસ ચાલ્યું, અનેક પ્રકારે શાસ્ત્રીય વિચારણા થઈ અને સસંમત નિણૅય લાવી આ મુનિસ`મેલને શ્રમણ સંસ્થાની પ્રતિષ્ઠા ખૂબ વધારી. આ બધાં કાર્યામાં નગરશેઠને અને અમદાવાદના સંઘને પૂ. આચાર્ય મહારાજની દોરવણી રહેલી. તેમજ તે વખતે પ્રારંભમાં દહેગામ ગ્રુપ વગેરે પડેલાં ગ્રુપાને એકમત કરવાનું કામ પૂજ્યશ્રીએ ખૂબ જ કુનેહપૂર્વક બજાવી સંમેલનને પાર પાડયું હતું. તીની ભક્તિવાળાં શ્રાવકોદ્વારા નાના મેટાં સદ્યા તો ઘણાં નીકળે છે. પણ જેમાં તેર તેર હજાર માણસા, તૈસા ગાડાં વિ. વાહના, અને સંઘને જ્યાં પડાવ હાય ત્યાં મેં નગર વસ્યું હોય તેવાં – શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ, શેઠ નગીનદાસ કરમચંદ અને શેડ પાપટલાલ ધારશીભાઈ જેવાના સંઘ તો કવચિત્ જ નીકળ્યાં છે, કે જે સંઘાના રજવાડાંઓએ ઉમળકાભેર સ્વાગત કર્યાં છે, અને જે સંઘના દર્શન જૈનેતર પ્રજાએ જૈનશાસનની પ્રશંસા કરી છે. છરી’ પાળતાં અનેક સદ્યા પૂજય આચાર્ય દેવના સાન્નિધ્યમાં નીકળ્યાં છે. નાના મોટા તપના ઉજમણાં તો અનેક સ્થળે શ્રાવકો દ્વારા થતાં હોય છે, પણ જે ઉજમણાં ખરેખર શાસનની પ્રભાવનાને કરનારાં હાય, અને જેના દર્શન માટે ગામેગામથી લોકો ઉમટે તેવાં શેઠ જમનાભાઈ ભગુભાઇ, શેઠ મનસુખભાઇ, શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ અને શેઠ મૂલચંદ બુલાખીદાસે કરેલાં તો કવચિત્ જ થાય છે. આવાં શાસનપ્રભાવક ઉદ્યાપનેાદ્વારા શાસનની અનેકવિધ પ્રભાવના પ. પૂ. આચાર્ય મહારાજના વરદહસ્તે થઇ છે. દુષ્કાળરાહત, જીવદયા, ધર્મશાળા, પાડશાળા, આંબિલશાળા, સસ્થાએ વ. અગણિત ઉત્તમ કાર્યાં એમના હસ્તે આ કાળમાં થયાં છે. and dedicated dadd Jain Educationa International ૨૧ For Personal and Private Use Only સીપ્રકાશન www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy