SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ટુંકમાં –જેનશાસનનો છેલ્લાં ૬૧ વર્ષને ઉન્નતિ – ઈતિહાસ, એટલે પ. પૂ. આ દિ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ મહારાજ. જૈનશાસનનું કોઈપણ એવું વિશિષ્ટ કાર્ય નથી કે આ છે જેમાં તેમનું સાન્નિધ્ય. સહયોગ અને આશીર્વાદ લેવામાં ન આવ્યાં હોય.. પરાઘાત નામકર્મ કોને કહેવાય? તે તેમના દર્શને સમજાતું. ભલભલાં મેટાં છે છે માણસો તેમના દર્શને પિતાને પામર માનતાં. તેમની આંખ માણસને જોતાંવેંત પારખી છે માં લેતી. સામાના એક બોલે તેના હૃદયમાં શું ભાવ ભર્યો છે, તે સમજી લેતાં. પચીસ જ પચાસ વર્ષે શું બનશે. તેની તેમનામાં પાકી ગણત્રી હતી. કોઈપણ કામ કરતાં પહેલાં તે છે પરિણામને વિચાર હતા. આવા દીર્ઘદ્રષ્ટા, પ્રભાવક, વિદ્વાન અને શાસનના આધાર સ્તંભ પૂ. સૂરિવર હતાં. પૂજ્ય આચાર્ય મહારાજે સંઘ ઉપર મહાન્ ઉપકાર કર્યો છે. આજે તે ભલે ન તો હોય, પણ તેમણે કરેલાં શાસનના કાર્યો તેમની સ્મૃતિને હજારો વર્ષ સુધી યાદ કરાવશે. આ કદંબગિરિ, કાપરડાજી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના દર્શને તેમનું દર્શન થશે, વિદ્વાન મુનિ માત્રના દર્શને તેમની સ્મૃતિ તાજી થશે. શાસનની સુવિહિત પ્રણાલિકાનું એ આચરણ તેમને એશીંગણ રહેશે. - પૂજ્ય આચાર્યદેવે જૈનશાસનને-અતિભદ્રિક પરિણામી-ન્યાયશાસ્ત્રના અનેક વિદ્વાન પૂ. આ.શ્રી વિજયદર્શનસૂરિજી મહારાજ, સમર્થ આગમાદિ શાસ્ત્રોના જ્ઞાતા છતાં ગુરુ ગૌતમની યાદ આપે તેવાં ગુરુભક્ત પૂ. આ.શ્રી વિજયદયસૂરિજી મ., પૂ. શાસનસમ્રાટની દર કે પ્રતિભાની યાદ આપે તેવા-દીર્ઘદ્રષ્ટા-શાસનમાન્ય પૂ. આ.શ્રી વિજયનન્દનસૂરિજી મ. સ પૂ. આ.શ્રી વિજયવિજ્ઞાનસૂરિજી મ., પૂ. આ.શ્રી વિજયપદ્રસૂરિજી મ. પૂ. આ.શ્રી છે વિજયામૃતસૂરિજી મ., પૂ. આ.શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. તથા પૂ. આ.શ્રી વિજયકસ્તૂરસૂરિજી મ.-જેવાં ઘણું આચાર્યો અને વિદ્વાન્ સાધુગણનો ઉત્તમ વારસો આપ્યો છે. “જબ તું આ જગત્ મેં, લેક હસત તુમ રોય, ઐસી કરણ અબ કરે, તુમ હસત જગ રોયની ઉક્તિ પૂ. આચાર્યદેવે સાર્થક કરી છે. આજે તેઓ નથી, પણ તે છે તેમના કાર્યો, તેમની કુનેહ, પ્રતિભા અને શાસનની સેવા સૌને તેમની યાદ આપે છે. યુવાની, સત્તા અને કીર્તિ એવી છે કે–ભલભલાને અહંતા ઉત્પન્ન કરી અનર્થ જે કરાવે છે. પ. પૂ. આચાર્યદેવના અનેક રાજાઓ, વિદ્વાનો. આગેવાન શ્રેષ્ઠિઓ પરમભક્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy