SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શાસનસમ્રા આ માસામાં તળાજાવાળા શા. કેશવજી ઝુંઝાએ પૂજ્યશ્રી પાસે આવીને વિનંતિ કરીકે સાહેબ ! તાલધ્વજગિરિના નવા દેરાસરને આદેશ લહમીભાભુને ૧૫ હજારમાં આવે છે, પણ હવે તે કાર્ય તેટલી રકમમાં નહિ થઈ શકે. માટે વધુ રકમની વ્યવસ્થા કરી આપવાની વિનંતિ કરવા અમે આવ્યા છીએ. પૂજ્યશ્રીએ શેઠશ્રી લાલભાઈ ભોગીલાલને બોલાવીને આ વાત જણાવી. અને આ માટે નવી ટીપ કરવા સમજાવ્યા. પણ તેઓએ ટીપ કરવાની ના પાડી. હવે બન્યું એવું કે-મારવાડ-(શીરેહી) પાલડીવાળાં સંઘવી શ્રી અમીચંદજી-ગુલાબચંદજી પૂજ્યશ્રીના વંદનાર્થે આવેલા. તેમને ઉપદેશ આપતાં તેમણે તળાજાના આ દેરાસર માટે પણે લાખ રૂપિયા આપવાની ભાવના દર્શાવી. પૂજ્યશ્રીએ તુર્તજ લાલભાઈને બેલાવીને આ વાત જણાવતાં કહ્યું કે હવે જે તમારી ભાવના હોય તે વધુ રકમ આપ, અથવા આ ભાઈને આદેશ આપે. એટલે લાલભાઈએ વિનંતિ કરી કે સાહેબ! આ આદેશને લાભ લીમીભાભુને મળ્યો છે, તે એમને જ લેવા દો. પછી તેઓ તથા શેઠ જગાભાઈ ભોગીલાલ, એ બન્ને ભાઈઓએ પિતાના ૧૦ હજાર રૂ. દેરાસરના ભૂમિગ્રહ માટે આપ્યા. લહમીભાભુએ પણ બીજા ૨૫ હજાર રૂ. આપ્યા. આ પછી પણ લક્ષ્મીભાભુએ સારી રકમ આપી. કુલ ૧ લાખ ૩ હજાર રૂ. આપીને એ દેરાસરને સર્વ લાભ તેમણે જ લીધો. ચેમાસા બાદ પૂજ્યશ્રી શેરીસા પધાર્યા. ત્યાંથી ડાંગરવા જઈને ત્યાંના દેરાસરમાં પ્રભુપ્રતિષ્ઠા કરાવી. અહીંયા ઉપાશ્રય નહોતે. અહીંના શ્રાવકેએ વિનંતિ કરી કે ઃ ગુરૂભગવંત! આપના સુપસાયથી અહીં દેરાસર તે થયું, પણ કઈ મુનિભગવંતે અહીં પધારે તે તેમને ઉતરવાની વ્યવસ્થા કઈ રીતે કરીએ? અહીં ઉપાશ્રય નથી. પૂજ્યશ્રીએ તેમની વિનંતિ અનુસાર ઉપદેશ આપીને સ્વામીનારાયણ મંદિરની વાડીની જમીન વેચાણ લેવરાવીને તેમાં શ્રીતત્ત્વવિવેચક સભાના સભાસદો તરફથી એક નાને ઉપાશ્રય બનાવરાવ્યો. સં. ૧૯૭૮ ના આ વર્ષે એક ગૃહસ્થને દીક્ષા આપી, તેમને મુનિશ્રી નંદનવિજયજી મ. ના શિષ્ય તરીકે મુનિશ્રી સમવિજયજી નામે સ્થાપ્યા. - શેરીસાથી તેઓશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈને આગ્રહથી તેઓશ્રી શાહીબાગમાં આવેલા સર ચીમનલાલ હ. સેતલવાડના બંગલે બિરાજ્યા. સર સેતલવાડ અહીંયા તેઓશ્રીને મળવા આવેલા. તે વખતે તેઓશ્રીએ તેઓને શ્રી શત્રુંજય, ગિરનાર, તારંગા. સમેતશિખર વ. જૈનતીર્થોને પરિચય તથા પ્રાચીન-નવીન ઈતિહાસ સારી રીતે સમજાવેલ. તે તીર્થો અંગે તે તે રાજ્ય સાથેની તથા દિગંબર સાથેની ચાલુ તકરારેમાં સાચી માહિતી મેળવવાને સર સેતલવાડ ઉત્સુક હતા, ત્યારે જ પૂજ્યશ્રીએ તેઓને આ ઈતિહાસ-દર્શન કરાવ્યું, એથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. તેઓએ કહ્યું કે : “જૈનતીર્થો સંબંધી સ્પષ્ટ અને મુદ્દાસરને ઈતિહાસ-પરિચય મને આજ સુધીમાં કોઈ એ કરાવ્યું નથી, આજે આપશ્રીએ પૂર્ણ રીતે કરાવ્યો છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy