________________
પ્રભાવશાળી વ્યક્તિત્વ
પૂજ્યશ્રીને આ ટૂકે પણ માર્મિક ઉત્તર સાંભળીને કમિશ્નર ખૂબ પ્રસન્ન થઈ ગયા. તેઓ આ રહસ્યભર્યા જવાબથી મુક્ત–મને હસ્યા, રાજી થયા.
ત્યારપછી અનેક રાજકીય-ધાર્મિક બાબતે ચર્ચાણી. તીર્થોના હકક અંગે પૂજ્યશ્રીએ કમિશ્નરને કહ્યું: “જેને દરવર્ષે સરકારને ઈન્કમ (Income) વગેરેના કરોડો રૂપિયા ભરે છે. છતાં કદી જૈનોએ સરકાર પાસે જે. પી. જેવા ઈલ્કાબ કે માન મરતાબાની માંગણું નહિ કરતાં કેવળ પ્રાણથી યે પ્યારા તીર્થોના તેમજ ધર્મના સંરક્ષણની જ માંગણી કરી છે. જૈનોનું વર્ચસ્વ ઓછું નથી. વસતિગણત્રીમાં જેની જે સંખ્યા હોય છે, તે કરતાં તેઓની દશગણી લાગવગ છે. એક નાના ગામમાં સો ઘરની વસતિ હય, અને જૈનનું એક જ ઘર હોય, પણ એ સેએ ઘરે ઉપર એક જૈન–ઘરનું જ વર્ચસ્વ હોય છે. અને જેને હંમેશાં દરેક ઠેકાણે રાજ્ય અને રાષ્ટ્રને વફાદાર જ હોય છે. આવા અમારા જૈનેના-સમેતશિખર, શત્રુંજય, ગિરનાર, વગેરે અનેક તીર્થોના અમારા વારસાગત હકકોના સંરક્ષણની જવાબદારી સરકારની છે.”
આ બધી યુકિતસરની વાત કમિશ્નરે પણ કબૂલી. પૂજ્યશ્રીની અસામાન્ય પ્રતિભા અને બુદ્ધિમત્તાની ઊંડી છાપ તેમના મન પર પડી. ત્યારપછી તેઓ પૂજ્યશ્રીની રજા લઈ, પ્રણામ કરીને ત્યાંથી બહાર નીકળ્યા. બહાર જતાં સારાભાઈ વાને તેમણે કહ્યું કે-“આવી જમ્બર એનજી અને વર્ચસ્વવાળી વ્યક્તિને પરિચય થવાથી મને ઘણું જ સંતોષ થયો.”
આ પછી થોડા જ દિવસોમાં નિવૃત્ત થઈને ઈગ્લાંડ (England) જતી વખતે કાર્ય કારી કમિશ્નર તરીકે રાજકેટના “શ્રી ગોસળીયા સાહેબને પિતાને હોદ્દો સેંપીને તેઓ ગયા.
અંગ્રેજ અધિકારીઓની એક પદ્ધતિ હતી કે તેઓ પોતાના અધિકાર-સમય દરમ્યાન કાળી અને ધળી નેંધપેથી (Black & white Diary) બનાવતા. દેશના રાજ્યવિધી માણસોના નામ અને તેના કામની નેંધ તેઓ બ્લેક ડાયરીમાં કરતાં. અને વ્હાઈટ ડાયરીમાં સારા-સરકારને ઉપયોગી થાય એવા માણસેના નામ-કામની નોંધ કરતા. જ્યારે તેઓ સ્વદેશ જવાના હોય ત્યારે પિતાના અનુગામીને હોદ્દો સંપતી વખતે એ બે ડાયરીઓ પણ સોંપી દેતા. કમિશ્નર પાટુ સાહેબે પણ આવી ડાયરીઓ ગેસળીયાને સેપેલી.
એકવાર કપડવંજના શેઠશ્રી શામળદાસ નથુભાઈના બાહોશ મુનીમ શ્રીવલ્લભદાસભાઈ કે જેઓ ભારે વિચક્ષણ, મુત્સદ્દી હવા સાથે શ્રીગોસળીયાના અંગત મિત્ર હતા,–તેઓ તેમને મળવા ગયેલા. વાતવાતમાં ગેસળીયાએ પૂછયું : “તમારા જૈનોમાં શ્રીનેમિસૂરિજી કોણ છે?
વલ્લભદાસે કહ્યું : “તેઓ જૈનોના સૌથી મોટા ધર્મગુરુ છે. આપે કેમ પૂછયું?”
ત્યારે તેમણે કહ્યું : “શ્રી પ્રાસાહેબ એમને માટે હાઈટ ડાયરીમાં નેધી ગયા છે કેશ્રી નેમિસૂરિજી જેવી જમ્બર એન (energy)વાળી અને પ્રભાવશાળી વ્યક્તિ હજી સુધી મેં જોઈ નથી.”
આ સાંભળીને વલ્લભદાસે તેઓને પૂજ્યશ્રીની પ્રતિભાથી માહિતગાર કર્યા.
આ ઉપરથી જણાય છે કે-ફક્ત એક વારના અને તે પણ સ્વલ્પ સમયના પરિચયે પણ એક ઉચ્ચ કક્ષાના અમલદારના હૃદય ઉપર પૂજ્યશ્રીની પ્રતિભાનું કેવું નિર્મળ પ્રતિબિંબ પડયું હતું ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org