SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવશાળી વ્યકિતત્વ ૧૭ સર સેતલવાડના બંગલે એક માસની સ્થિરતા પછી પૂજ્યશ્રી પુનઃ શેરીસા તીર્થે પધાર્યા. શેરીસા તીર્થ અને શ્રીશેરીસાપાર્શ્વનાથ ભગવાન પ્રત્યે તેઓશ્રીના હૃદયમાં અપૂર્વ શ્રદ્ધા હતી. શેરીસાથી માતર તીર્થે પધાર્યા. અહીં સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનું ભવ્ય બાવન જિનાલયયુક્ત ચૈત્ય હતું. તેની ૫૧ દેવકુલિકાઓ અતિજીર્ણ થવાથી તેને ઉદ્ધાર કરવાને ઉપદેશ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈને આપતાં તેઓએ એ સહર્ષ વધાવી લીધે, અને છણેદ્વાર શરૂ કરાવ્યું. માતરમાં ખંભાતને શ્રીસંઘ ચોમાસા માટે વિનંતિ કરવા આવતાં તેમની વિનંતિ સ્વીકારીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યા, અને સં. ૧૭૮ નું માસું ત્યાં બિરાજયા. ખંભાતથી એક માઈલ દૂર શકરપરા નામનું ગામ છે. ત્યાં શ્રી સીમંધરસ્વામી તથા શ્રીચિંતામણિપાર્શ્વનાથના બે દેરાસર હતા. તે બન્ને જીર્ણ થવાથી તેને ઉપાડી લેવા, અને તેમાંના પ્રતિમાજીને ગામમાં લાવવાની શેઠ કસ્તુરભાઈ અમરચંદ વગેરેની ભાવના હતી. પણ પૂજ્યશ્રીએ તેઓને તેમ કરતાં અટકાવ્યા. અને શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈ વ. ને તેના જીર્ણોદ્ધાર માટે પ્રેરણું કરી. તેઓએ તે પ્રેરણાને ભકિતપૂર્વક અંગીકાર કરીને જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યું. આથી બધા પ્રતિમાજી મહારાજને ત્યાં જ રાખવામાં આવ્યા. - આ ચાતુર્માસમાં ઉપાધ્યાય શ્રી ઉદયવિજ્યજી મ. ના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રીકીતિ વિજ્યજી મ. કાલધર્મ પામ્યા. વિદ્વાન તથા લઘુવયસ્ક મુનિરાજને આમ અચાનક વિયોગ થાય, એ દુ:ખજનક હતો. પણ કાળ આગળ સૌ નિરૂપાય હતા. તેઓની સ્મૃતિ રાખવા પૂજ્યશ્રીની ઈચ્છા થતાં તેઓશ્રીએ શકરપુરામાં એક સુંદર ગુરુમંદિર બનાવવાની પ્રેરણા શેઠ શ્રી કસ્તૂરભાઈ અમરચંદ વગેરેને કરી. તેઓએ પણ પૂજ્યશ્રીના માર્ગદર્શનાનુસાર ગુરુમંદિર બંધાવવું શરૂ કર્યું. તેમ જ શકરપુરાના દેરાસરના વિશાળ ચેકમાં શેઠશ્રી દલસુખભાઈ કસ્તુરચંદ તથા શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈના મુનીમજી-પેથાપુરવાળા શા. અમથાલાલ જુમખરામે ધર્મશાળા બંધાવી. - આ સિવાય-માણેકકમાં આવેલ શ્રી ચિંતામણિપાર્શ્વનાથ અને શ્રી આદીશ્વર (ભેંયરામાં) ભગવાનનું દેરાસર, બળપીપળાનું દેરાસર, તેમજ સંઘવીની પિળનું દેરાસર, વગેરે દેરાસર જીર્ણ થયા હતા. તીર્થ સ્વરૂપ આ પ્રાચીન જિનાલયેની આવી દશા જોઈને જીર્ણોદ્ધારને પિતાનું મુખ્ય લક્ષ્ય માનનારા આપણા પૂજ્યશ્રીને આત્મા દ્રવી ઉઠયો. તેઓશ્રીએ અમેઘ ઉપદેશદાનમાં જીર્ણોદ્ધારનો મહિમા વર્ણવતાં ફરમાવ્યું: - “અનેક નવા જિનાલ બંધાવે, પણ તે કરતાં એક જીર્ણચૈત્યને જે જીર્ણોદ્ધાર કરાવે, તે તેનું ફળ અનેક ગણું છે.” - જીર્ણોદ્ધારની પૂજ્યશ્રીએ-ઉપદેશેલી આ મહત્તાને સમજનાર શેઠશ્રી માણેકલાલભાઈ વગેરે ગૃહસ્થાએ એકત્ર થઈને એ બધાં દેરાસરનું ઉદ્ધાર-કાર્ય ઉપાડી લીધું. પૂજ્યશ્રીને ગ્રંથ-સંગ્રહ અણમેલ અને અનુપમ હતો. પણ એની વ્યવસ્થા તથા સુરક્ષા માટે કોઈ સ્થાન ન હતું. એ માટે પૂજ્યશ્રીના ઉપદેશ અનુસાર ખારવાડામાં “શ્રીવિયનેમિસૂરિ ૨૫ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy