________________
શાસનસમ્રાહ્
પૂજ્યશ્રીના અસામાન્ય ગુણેાથી તે પૂર્ણ પણે આકર્ષાયા હતા. અને તેથી જ એ ગુણ્ણાનુ વન તેઓ મહારાણા સાહેબ આગળ મુકત કઠે કરતા. આથી મહારાણા સાહેબે તેમને કહ્યું કેઃ તમે મહારાજજીની અહીં-રાજમહાલયે સમહુમાન પધરામણી કરાવેા.
૧૨૬
કૂત્તેહકરણુજીએ એકવાર અવસર જોઇને પૂજ્યશ્રીને રાજમહેલમાં પધારવા માટે મહા રાણા તરફથી વિન‘તિ કરી.
પણ પૂજ્યશ્રીએ રાજમહાલયે જવાની અનિચ્છા બતાવી.
મહારાણાએ કહેવરાવ્યુ કે, શ્રીહેમચંદ્રસૂરિજી મ., અને શ્રીહીરવિજયસૂરિજી મ; વગેરે આચાય ભગવંતા રાજમહાલયે પધાર્યાંના દૃષ્ટાન્તા આવે છે. તેમ આપશ્રી પણુ જરૂર પધારીને રાજમહેલને પાવન કરો.
જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યુ કે: “એ બધા તો મહાપુરુષા હતા. હું તે તેમની પાસે એક સામાન્ય સાધુ છું, અને તેના ચરણની રજ છું. એ મહાપુરુષોનું અનુકરણ મને ન શાલે.”
ફત્તેહકરણુજીએ કહ્યુંઃ સાહેબ ! વમાનમાં પણ શ્રીવિજયધમ સૂરિજી મ; શ્રીસાહનવિજજી મ; વગેરે રાજમહાલયે પધાર્યા છે. તેમ આપ પણ પધારે.
પૂજ્યશ્રીએ કહ્યું : “મિનસ્જિદોન્ન” જુદી જુદી રૂચિવાળા જીવા હોય છે. જેને જેમ રૂચે તેમ કરે. પણ રાજમહેલે જવા માટે મારી ઇચ્છા થતી નથી.’
આ જવાબે મહારાણાશ્રીના મનમાં પૂજ્યશ્રી પ્રત્યેના સદ્દભાવમાં અપૂર્વ વૃદ્ધિ કરી. તેઓએ પાતાના પાટવીકુમાર યુવરાજશ્રી ભૂપાલકુમારસિહજીને પૂજ્યશ્રીના દશને જવા પ્રેરણા કરી. યુવરાજશ્રીએ પણ પૂજ્યશ્રીના દર્શનના તથા ઉપદેશશ્રવણના લાભ આનંદપૂર્વક લીધા.
આ ચામાસામાં–ભારતના વિખ્યાત દેશનેતા, અસામાન્ય વિદ્વાન્ અને કાશીમાં હિન્દુવિશ્વવિદ્યાલયના સ’સ્થાપક પંડિતશ્રી મનમેાહન માલવીયાજી એકવાર રાજયના મહેમાન તરીકે આવેલા. તેમના એક પુત્ર શ્રીરમાકાન્તજી ઉદયપુરના મુખ્ય ન્યાયાધીશ હતા.
એક દિવસ માલવીયાજીએ મહારાણાને પૂછ્યું: ‘અહી' કાઈ એવા વિદ્વાન પુરૂષ છે, કે જેમની વિદ્વત્તાના લાભ લઈને આન ંદિત બનીએ
મહારાણાએ કહ્યું: ‘અહીં જગતના મહાન વિદ્વાન જૈનાચાયં શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ બિરાજે છે. તેઓની વિદ્વત્તા અજોડ છે.'
આ સાંભળીને માલવીયાજી પૂજ્યશ્રી પાસે આવ્યા. પ્રથમ-દર્શને જ તેને પ્રતીતિ થઇ કે–મહારાણાની વાત સથા સત્ય જ છે. તેઓ પૂજ્યશ્રી પાસે કલાર્કા સુધી બેઠા, અને તત્ત્વચર્ચા કરી. ત્યારપછી તા તેઓ ઉદયપુરમાં રહ્યા ત્યાં સુધી પ્રતિનિ પૂજ્યશ્રી પાસે આવીને વિદ્વાષ્ઠિ કરતા. પૂજ્યશ્રી સાથેની તેની ચર્ચામાં ધ શાસ્ત્ર-રાજનીતિ-સ્પૃશ્યાસ્પૃશ્ય વિચાર વગેરે અનેક વિષયાની મુક્ત-મને વિચારણા થતી.
આ વિચારણાઓમાં પૂજ્યશ્રીની પ્રતિભા, વિદ્વત્તા, અને ઉદાર–દ્વીધ દૃષ્ટિ ોઈને માલવીયાજી પૂજ્યશ્રીને ‘ગુરૂજી' કહીને સખાધવા લાગ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org