SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ માલવીયાજીના ગુરુજી તેઓ ઉદયપુર ત્રણ દિવસ રહ્યા. તે દરમ્યાન સમસ્ત સંઘમાં એ બન્નેય મહાપુરૂષોના મિલનથી અપૂર્વ આનંદ વ્યાપી રહ્યો હતા. તેઓએ પૂજ્યશ્રી સાથે વિવિધ વિષયાને લગતી વિચારણા કરી, અને પેાતાની શાસનેાન્નતિની ભાવના સવિનય વ્યકત કરતાં કહ્યું કે : આપશ્રીએ જેમ તીર્થોદ્ધારનું કામ ઉપાડ્યું છે, તેમ શાસનાદ્ધારનું કામ પણ આપે જ ઉપાડવુ જોઈ એ. પૂ. શ્રી મૂળચંદજી મ., પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ. પૂ. શ્રી આત્મારામજી મ. આદિ મહાપુરૂષોના જેટલે પ્રભાવ શ્રીસ ંધ પર પડતા હતા, તેટલા પ્રભાવ આજે નથી પડતા. એનુ કારણ સાધુઓના પારસ્પરિક મતભેદો છે. આપશ્રી અમદાવાદના શેઠિયાઓ દ્વારા એક સાધુસ ́મેલન ભરાવા, તેા શાસનને ઘણું! જ લાભ થાય. સકલ સાધુ–સમુદાય એકત્ર ન થાય, તેા આપશ્રી જેવા મોટા આચાય–પ્રવરા એકત્ર થઇને પણ શાસનને હિતકર વ્યવસ્થા સ્થાપે.” તેની શાસન સેવાની દાઝથી ભરેલી આ વાત સાંભળીને પૂજ્યશ્રી ઘણા સંતુષ્ટ થયા, અને કહ્યું કે; “તમારૂં કથન બિલકુલ સમુચિત છે, અને સંમેલન માટે હું અમદાવાદ ગયા પછી ચેાગ્ય કરીશ.” ૧૮૫ આમ ત્રણ દિવસ સુધી સ્વજનના મેળાપ સમા આનંદ માણીને તેઓ સઘ સાથે કેસરીયાજી તરફ ગયા. સ. ૧૯૭૬ના ચાતુર્માસના મંગલ પ્રારંભ થયા. પૂજ્યશ્રીની ધમ°દેશના-રૂપ ગંગામાં અનેક પુણ્યવાન્ આત્માએ સ્નાન કરવા લાગ્યા. ‘શ્રીપન્નવા સૂત્ર’ની દેશના પૂજ્યશ્રીએ શરૂ કરી. ઉદયપુરના મહારાણા શ્રી ફત્તેહસિહજી, એક તેજસ્વી, ગુણિયલ અને ગુણાનુરાગી રાજવી હતા. પૂજ્યશ્રીના ગુણાનું વર્ણન તેઓએ કર્ણાપક સાંભળેલું. તેથી પૂજ્યશ્રીના દન કરવાની તેઓને ભાવના થઇ. પ્રથમ તેા તેઓએ પેાતાના અંગત મત્રી (Private Secretary) શ્રીřોહકરણુજીને પૂજ્યશ્રીના પરિચય તથા સમાગમ કરવા માટે મેાકલ્યા. ફોહકરણજી રાજ-મંત્રી હાવા સાથે સ ંસ્કૃત-પ્રાકૃતના ઉચ્ચકક્ષાના વિદ્વાન અને સહૃદય પુરૂષ હતા. દર્શનશાસ્ત્રમાં તેમને ઘણા રસ પડતા. તે પ્રતિદિન પૂજ્યશ્રી પાસે આવીને જૈન તથા અન્ય દનાના મૌલિક સિદ્ધાન્તા સમજતા, જૈન દનનુ તાર્કિક દૃષ્ટિએ જ્ઞાન મેળવવા માટે તેમને શ્રીહરિભદ્રસૂરિજી મહારાજવિરચિત ‘ધર્માંસંગ્રહણી' નામક ગ્રંથ વાંચવાની ઈચ્છા થઈ. પૂજ્યશ્રીને એ માટે વિનતિ કરતાં પૂજ્યશ્રીએ એ કાય મહેાપાધ્યાય શ્રીઉદ્દયવિજયજી ગણીને સોંપ્યું. ઉપાધ્યાયજી મ. પણ તેને એ જૈનદર્શનના મહાન્ ગ્રંથનું વિશદ રીતે અધ્યયન કરાવવા લાગ્યા. શ્રીફત્તેહકરણજી જેટલા જ્ઞાની હતા, એટલા જ નમ્ર અને જિજ્ઞાસુ હતા. તેઓ નિયત કરેલા સમયે હમેશાં આવી જતા. રાજ્ય તરફથી પાલખી-વાહન આદિની સગવડ મળી હાવા છતાંય તેઓ પેાતાના નિવાસસ્થાનથી ધર્મશાળા સુધી ઉઘાડા પગે ચાલીને જ આવતા. તેઓ માનતા હતા કે—વિદ્યા પ્રત્યે સંપૂર્ણ` વિનયભાવ હોય, તા જ વિદ્યા મળે અને ક્ળે છે. રાજ્યના એક નિષ્ઠ અને વિદ્વાન અધિકારીમાં આવી જિજ્ઞાસા અને નમ્રતાનુ મિશ્રણ જોઈને લેાકેાને ‘સાનામાં સુગંધ'ના મેળ લાગતા હતા. २.४ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy