SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કેાઈ સરપુંગવ રહ્યાં નિહ. એટલે પિરપાટી મુજબ આગેવાન શ્રાવકો શાસનની ધુરા ચલાવતાં રહ્યાં. પરંતુ પૂજ્ય આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ શાસનને સાંપડયા પછી તેમણે શાસનના દરેક અંગાને સુદૃઢ કરવામાં અમૂલ્ય ફાળો આપ્યા. પેઢીનું વ્યવસ્થિત બંધારણ પુનઃ ઘડાવ્યું. તીર્થાની રક્ષામાં જૈન આગેવાનાને દત્તચિત્ત બનાવ્યાં. જેને પરિણામે શત્રુંજય. ગિરનાર, તાર’ગા. શિખરજી વગેરે તીર્ઘામાં જે કોઇ બિનહક્કથી પગપેસારા કરતાં હતાં. અને માલિકીના દાવા કરતાં હતાં. તેઓ અટકયાં. શ્રીશેડ કસ્તૂરભાઇ મણિભાઈ. શ્રીશેઠ મનસુખભાઇ ભગુભાઇ. શ્રીશેડ લાલભાઇ દલપતભાઇ, શ્રીશેડ કીકાભાઈ પ્રેમચંદ, શ્રીશેડ વીરચંદ દીપચંદ વગેરે આગેવાના તીર્થાના વહીવટમાં કટિબધ્ધ બન્યાં. અને તીર્થાની રક્ષા માટે તેમણે પાતાના વ્યવસાયને ગૌણ કરી હંમેશ તીર્થરક્ષાને મુખ્ય ગણી છે. જ્યારે જ્યારે તી રક્ષાના પ્રસંગ આવ્યા છે. ત્યારે ત્યારે તે વખતના એરિસ્ટો શ્રી ચીમનભાઇ સેતલવડ. અને શ્રી ભુલાભાઇ દેસાઇ તેમ જ આગેવાન ગૃહસ્થા આ બધાં તીર્થોના પ્રશ્નને સમજવા અને કઈ રીતે કામ લેવું તેની દોરવણી મેળવવા હંમેશાં પૂજ્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ પાસે પધારતાં. અર્થાત્ – સમગ્ર જૈનશાસનનું કેન્દ્ર પ. પૂ. આચાર્ય મહારાજ હતાં. જ્યારે પ. પૂ. આચાર્ય દેવ મારવાડ – રાજસ્થાન પધાર્યા. ત્યારે જતિઓની પરિસ્થિતિ પલટાઈ ગઇ હતી. તેમના માન-મરતબો ક્ષીણ થયા હતા. વૃદ્ધ યુતિઆને નવાં શિષ્યા મળતાં ન હતાં. મળતાં તે લેભાગુ અને અવિશ્વસનીય હતાં. પરિણામે પ્રાચીન-હસ્તલિખિત ભડારાને તેઓ પાણીના મૂલ્યે વેચી નાખતાં હતાં. પૂ. મહારાજશ્રીએ આ ભંડારા ખરીદી લેવા ગૃહસ્થાને ઉપદેશ આપ્યા. યતિઆના આવતાં પુસ્તકો ખરીદી લેવરાવ્યાં. અને પાતાના સાધુઆને તેમાં લગાડી અનેક ચ થાની સૂચિ તૈયાર કરાવી, જેમાંથી ઉ, યશેાવિજયજી મ. વ. ના ગ્રંથાની અલભ્ય પ્રતિએ પણ સાંપડી. આજે અમદાવાદ, ભાત અને કિિગરના ભંડારા તે જ કારણ ભરપૂર છે. આમ નષ્ટ પામતાં ગ્રંથા-ગ્રંથભ`ડારાને સાચવી રાખવાના અને તે પ્રાપ્ત થયેલાં ગ્રંથામાં પાતાના વિદ્વાન્ શિષ્યવળ ને પરાવી તેનું સંશોધન કરાવવાના પૂર્ણ પુરુષાર્થ તેમણે કર્યા. તપાગચ્છની ૬૧ મી પાટે શ્રી વિજયસિંહરિ મહારાજ થયાં. આ પછી ધીમે ધીમે શિથિલાચારે જોર કર્યું". આચાર્યની પરંપરા યતિઆમાં ચાલી, સ`વેગી શ્રમણાની પર પરામાં માત્ર પંન્યાસપદ રહ્યું. અસાથી અઢીસ વર્ષ સુધી આ પરિસ્થિતિ રહી. Jain Educationa International ૧૭ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy