SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાદ્ પણ–તેઓની ભાવના શ્રીસિદ્ધિગિરિરાજની યાત્રા કરવાની હતી, અને તે આ વર્ષે નહિ થઈ શકે, એટલે તેમણે ગિરિરાજના ભંડાર ખાતે રૂ. ૫૦૦૧ શેઠ આ. ક, પેઢીને મેાકલી આપ્યા. ૧૬૦ કેવી ઉદાત્ત ભાવના ! આપેાઆપ આપણા મુખમાંથી ધન્યવાદના શબ્દો સરી પડે. ત્યારપછી પૂજ્યશ્રી સાદડીથી વિહાર કરીને મેઢેરા-વાલી–સેવાડી-વીજાપુર-રાતા મહાવીરજી –ખેડા-નાણાનાંદીયા-નાની મેાટી પંચતીથી વિ.ની યાત્રા કરતા કરતા પાલડી પધાર્યા, શ્રી અમીચંદ્રજી–ગુલામચંદ્રજીએ સંઘની સવ તૈયારીઓ કરી રાખી હતી. આ બન્ને ભાઈઓ તરફથી પાલડીમાં એક સદાવ્રત ચાલતુ હતું. એમાં નાત-જાતના ભેદ વિના સૌ કેાઇને અન્ન-આદિની સહાય કરવામાં આવતી હતી. એક શુભ દિવસે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છરી' પાળતા શ્રીસ ંઘે તીથ યાત્રા માટે પ્રયાણ કર્યુ. ભેવ જોગાપરા-વા. પાલડી- કોરટાજી થઈ તે સંઘ શિવગ જ પહેાંચ્યા ત્યાં મુનિશ્રી જયવિજયજી મ. તુ સ્વાસ્થ્ય એકાએક બગડ્યુ. તે દિવસે તેઓએ ઉપવાસ કરેલા. દેરાસરે દશન કરીને ઉપાશ્રયે આવતાં જ ચકરી આવી. અને ત્યારપછી ઘેાડીવારમાં જ તે શુભધ્યાન અને સમાધિપૂર્ણાંક કાળધમ પામ્યા. તેમના અંતિમ સંસ્કાર આદ્ધિ વિધિ થયા બાદ શ્રીસંઘ સાંઢેરા - પાલી–જોધપુર-તિવરી–મ ડેાર-આસિયા-લેાહાવટ વિ. ગામામાં થઇને ક્યાથી આવ્યા. ગામેગામ શ્રીસંઘના ભવ્ય સ્વાગત થતા હતા. લેધી સઘમાં એ પક્ષેા હતા. એક બાજુ ગુલેચ્છા ભાઈ એ અને બીજી માજી આખા સંધ. ગુલેચ્છાએ જ્ઞાતિબહાર કરાયા હતા, તેથી આ પક્ષ પડેલા. આ ઋતુને શમાવવા માટે પ'. શ્રી હર્ષોંમુનિજી મ., રાધનપુરવાળા શ્રી વીરવિજયજી ગણી, ઉકેશગચ્છીય મુનિશ્રી જ્ઞાનસુ દરજી, તથા સ્થા. મુનિશ્રીરાજજી વગેરેએ ઘણી મનહેત કરેલી, પણ તે બધાંને નિષ્ફળતા મળી હતી. મુનિશ્રી જ્ઞાનસુ ંદરજી સંઘમાં સાથે હતા. તેમણે પૂજ્યશ્રીને બધી બીના જણાવીને કહ્યું કે આમાં વચ્ચે પડવા જેવું નથી. કારણ કે ઘણા આવી ગયા, કાઈથી આ કલેશનુ નિવારણુ થઇ શકયું નથી. પણ પૂજ્યશ્રીની બુદ્ધિ અને કુનેહ અસાધારણ હતી. તેઓશ્રીએ બધી વાત જાણી લીધી અને પછી પેાતાની લાક્ષણિક શૈલીથી એવા સચાટ ઉપદેશ આપ્યો કે બન્ને પક્ષના—શ્રી રેખાચંદજી લુંકડ, સૌભાગ્યચંદજી લેચ્છા, વકતાવરમલજી લેાઢા, વિ. આગેવાનાના મન હળવા પડી ગયા. તેમના મન સમાધાન માટે આતુર અન્યા. તેમણે પૂજયશ્રીને વિનવ્યું કે સાહેબ ! આપ આઠ દસ દિવસ અહીં રહીને ઉપદેશ આપશે।, તા જરૂર સમાધાન થઈ જ જશે એટલે પૂજ્યશ્રી સંઘ સાથે ત્યાં સ્થિરતા કરીને પ્રતિનિ સમાધાન માટે પ્રેરક ઉપદેશ આપવા લાગ્યા. પરિણામે-સંઘના કુસંપના મૂળિયાં ઢીલા પડી ગયા. અને છેવટે પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર તથા સંઘમાં આવેલા–સાદડીના શ્રીદલીચ ંદજી, જોધપુરના શ્રીદીપચંદજી વગેરેની મધ્યસ્થતાએ બન્ને પક્ષેા વચ્ચે સમાધાન થઈ ગયું. સંઘમાં એકતા સ્થપાઇ. સંઘમાં શાન્તિ સ્થપાતાં જ એની ખુશાલીમાં જુદા જુદા ગૃહસ્થા તરફથી સ્વામિવાત્સલ્યેા થવા લાગ્યા. એક પછી એક સ’ધજમણુની પરપરા ચાલી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy