SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ જેસલમેર જુહારીએ આથી પૂજ્યશ્રીએ ૫. શ્રી પ્રેમવિજયજી ગણિવરાદિ ૪ પન્યાસવાને સાદડીમાં ઉપાધ્યાય પદવી આપવાના નિણૅય કર્યાં. શ્રીસંઘના આનંદોત્સાહના અવિધ ન રહ્યો, ચામાસા ખાઇ સ. ૧૯૭૩માં પૂજ્યશ્રી સાદડીથી ઘાઘેરાવ પધાર્યાં. ત્યાં મુનિરાજશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને કા. વ. ૬ના રોજ ગણીપદ તથા કા. વ. ૧૨ ના રોજ પ ંન્યાસપદ્મ અણુ કર્યા. એ નિમિત્તના મહાત્સવ શ્રી મૂળચંદજી જાવતરાજજી ખીચીયા તરફથી ઘણા જ ઠાઠમાઠ પૂર્વક ઉજવાયા. બીજા ગૃહસ્થા તરફથી પણ તેમાં નવકારશી-પ્રભાવના વગેરે થયા. ઘાણેરાવથી પૂજ્યશ્રી શ્રીમૂછાળા મહાવીરજી યાત્રાર્થે પધાર્યાં. અહીયા માટે મેળેા હતા. અને એ મેળામાં એક શ્રાવકવયે ગાલવાડના બાવન ગામેાને નિમ ંત્રણ કરીને ખેલાવ્યા હતા. મેળા થયા પછી પુનઃ ઘાણેરાવ થઇને સાદડી પધાર્યા. પં. શ્રી પ્રેમવિજયજી મ. આદિ મુનિવર પણ ટી’ટાઇથી વિહાર કરીને સાદડી આવી ગયા. મંગલ મુહૂતે મ ંગલ દિવસે અઠ્ઠાઇ મહાત્સવ અને ધામધૂમપૂર્ણાંક-૫ ન્યાસશ્રી પ્રેમવિજયજી ગણી, ૫. શ્રી સુમતિવિજયજી ગણી, ૫. શ્રી દશનવિજયજી ગણી, તથા પં. શ્રી ઉદયવિજયજી ગણી, એ ચાર પન્યાસ મુનિવરોને પૂજ્યશ્રીએ ઉપાધ્યાય પદાર્ઢ કર્યો. સાદડીના સકલ સંઘના તથા આ પ્રસંગે અમઢાવાદ, ખંભાત, ભાવનગર, એટાદ વિ. અનેક ગામાના આવેલા પ્રતિષ્ઠિત સદ્ગૃહસ્થાના ઉહ્લાસ અપાર હતા. તીર્થોના ઉદ્ધાર અને તીર્થાંની રક્ષાને જ નિજજીવનનું મુખ્ય ધ્યેય ગણનારા પૂજ્યશ્રીના મનમાં-તેઓશ્રી કાઈ પણ કાર્ય કરતા હોય, પણ અનિશ તીથે†દ્ધારની ભાવના અને ઉત્ક ઢા તા રહેતી જ. એ ભાવના-પ્રેરિત ઉપદેશદાનના પ્રભાવે આ પદવી પ્રસંગે અમદાવાદ-દેશીવાડાની પાળ-ઇંદ્રકાટમાં રહેતા ઝવેરી મેાહનલાલ ગોકળદાસના સુપુત્ર શ્રી કેશવલાલભાઇએ શ્રી રાણકપુરજી મહાતીના જીર્ણોદ્ધાર માટે રૂ. વીશ હજાર આપવાને નિણૅય કર્યાં. શિવગ ંજવાળા શા. મૂળચંદજી ખીચીયા તથા મૂળ ડોડવા-ગામના, પણ કાલિન્દ્રી ગામમાં રહેતા શા. ધ્રુલાચંદજીને ઉપદેશ આપતાં તેમણે રાણકપુરજીની દેરીએ કરાવવા માટે સારી રકમ શેઠ આણુ દજી કલ્યાણજીની પેઢીને આપી. સાદડીના ચેામાસા દરમ્યાન શિરેાહી સ્ટેટના પાલડીગામના વતની શા. અમીચંદજી તથા શા. ગુલામચંદજી એ એ ભાઈ આ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેમની ભાવના પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી સિદ્ધગિરિજીના છ ‘રી’ પાળતા સ ંઘ કાઢવાની હતી. એ માટે વિનતિ કરવા તએ આવેલા. પણ પૂજ્યશ્રીએ ફરમાવ્યું કેઃ “અમેા હજી બે વર્ષ થયા ગુજરાતથી આ તરફ આવ્યા છીએ, અને હજી મારવાડ–મેવાડમાં વિચરવાની ભાવના છે. પણ હમણાં ગુજરાત તરફ જવાની ભાવના નથી. જો તમારે અમારી નિશ્રામાં સંઘ કાઢવા હાય, તા જેસલમેરના સંઘ કાઢો, તા અમારે પણ યાત્રા થાય.” પૂજ્યશ્રીનું આ વચન તરત જ એ બન્ને ભાઈ આએ ઝીલી લીધું–વધાવી લીધું અને તે જ વખતે જેસલમેરના સધ કાઢવાનો નિર્ણય કર્યાં. પ્રયાણનુ મુહૂત' પણ પૂજયશ્રી પાસે નિણી ત કરી લીધું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy