SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ તી રક્ષાના આધાર-શાસનસમ્રાટ્ ઘણા જ શાંત છે. અને ધમ પસાયથી આવી જ રીતે અમારી મુસાફરી શાંતતાથી પસાર થશે. તીના હકા તથા આણુ દજી કલ્યાણજીની પેઢીના આધાર આપ જ છે. માટે તેને માટે આપને વધારે લખવું તે ઠીક નહિ, જરૂર વખતે આપ જે જે ચાગ્ય લાગે તેમ કરાવતા રહેશેાજી તીર્થાના હકો જાળવવા આપ અમદાવાદમાંથી વિહાર કરવાનું હાલમાં નહિ રાખા એમ હું ધારૂં છુ. એ જ વિનતિ. પન્યાસ શ્રી ઉદ્દયવિજય વિગેરે સાધુમહારાજોને અમારા સર્વેના ૧૦૦૮ વદણા પહેાંચેજી. એજ કસ્તૂરભાઈના વંદણા.” આ અરસામાં જનીના વિખ્યાત વિદ્વાન, ત્યાંની લિઝ્ઝીક યુનિવર્સિટીના સ્નાતક, અને જૈન દનના વિશિષ્ટ અભ્યાસી ડા, હૅન જેકેાખી (Dr. Hermann Jacobi) ભારતના જુદા જુદા શહેરમાં બિરાજતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ આદિ આચાર્ય ભગવંતા તથા મુનિરાજોની મુલાકાત લેતાં લેતાં અમદાવાદ આવ્યા. અને સવારે વ્યાખ્યાન ઉડવાના સમયે વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદીને (B. A., LL B.) સાથે લઈ ને પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રી સાથે તેમણે વિવિધ વિષયાને લગતી ચર્ચા કરી. પૂજ્યશ્રી સંસ્કૃતમાં ખેલતા, અને ડો. જેકેાખી સંસ્કૃત તથા ઈંગ્લીશમાં પણ ખેલતા. ૧૪૧ એક પાશ્ચાત્ય વિદ્વાનને પૂજ્યશ્રી પાસે આવેલા જોઈ ને તે વખતે ઉપાશ્રયમાં જિજ્ઞાસુ જનસમૂહ એકત્ર થઈ ગયા. ડા. જેકેાખીએ શ્રીભગવતી સૂત્ર તથા શ્રી આચારાંગ સૂત્રને ઈંગ્લીશ અનુવાદ કરેલા. જેમાં કેટલેક ઠેકાણે નોંધપાત્ર ક્ષતિઓ થવા પામી હતી. તે અ ંગે પૂજ્યશ્રીએ તેમને પ્રસંગેપાત્ત સૂચન કર્યું. આ વખતે શા. ગોકળદાસ અમથાશાહે પણ તેમને જૈન સિદ્ધાન્તનું સંપૂર્ણ પરિશીલન કર્યા પછી જ અનુવાદ જેવું કાર્ય કરવા માટે મીઠા શબ્દોમાં અનુરાધ કર્યાં. ડો. જેકાખીને પણ પેાતાની ભૂલેા સમજાણી, એટલે તેમણે પૂજ્યશ્રીને કહ્યું: હું ફરીવાર આપની પાસે આવીશ, ત્યારે એકાન્તમાં મારે આપને આ બધી વાતને લગતા પ્રશ્નો પૂછવા છે. આમ કહીને તેઓ ગયા. ત્યારપછી ફરીવાર આવીને તેમણે એકાન્તમાં પૂજ્યશ્રી પાસેથી પેાતાના પ્રશ્નોનું યાગ્ય અને વિશદ સમાધાન મેળવ્યું. પૂજયશ્રીની તેજસ્વિતા અને અપૂર્વ બુદ્ધિમત્તાથી આકર્ષાયેલા ડા. જેકોબી આ પછી જ્યારે પાટણ ગયા, ત્યારે ત્યાં તેમને પૂ. પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી મહારાજ મળ્યા. તેઓએ ડો. જેકોષીને પૂછ્યું: આટલા સાધુઓના પરિચય કર્યાં, તેમાં તમે શું અનુભવ મેળવ્યો ? ત્યારે ડા, જેકોબીએ જવાબ આપ્યો કે: આ. શ્રીવિજયનેમિસૂરિજી અને આ. શ્રી વિજયધમ સૂરિજી, એ વ્યક્તિ સાધુપણામાં છે. પણ જો કાઈ રાજ્યના દિવાન હેાત તે આખું રાજતંત્ર ચલાવવાની શક્તિવાળા છે. હાલ તેા જૈનશાસનનું રાજ્ય અને ચલાવી રહ્યા છે.” આ ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે-ડો. જેકોબી જેવા ખ્યાતનામ વિદ્વાન્ડા હૈયામાં ફક્ત બે જ વખતના પરિચયથી પણ પૂજ્યશ્રીની પ્રતિભાએ અજખ આકષ ણુ જમાવ્યુ હતું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy