SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતિભેદનિવારણ ૧૧૫ પ્રશ્ન ઉપાડવા જોઇએ. આમ દશા અને વીશા શ્રીમાળીના અમુક વર્ગ આ ખાખતમાં એક થઈ ગયા. અને એ વગે અને જ્ઞાતિના અમુક આગેવાનાની સહીએ સાથે સંઘપતિ નગરશેઠ ચીમનભાઈ ઉપર શેઠ અખાલાલભાઈ ને સંઘ બહાર મૂકવાની અરજી મેાકલાવી. પણ નગરશેઠ વિ. સંધાગ્રણીએ સમજદાર હતા. તેમણે વિચાયું કેઃ—એક નજીવી ખાબતને માટું સ્વરૂપ આપીને અંબાલાલભાઈ જેવી વ્યકિતને સંઘ ખહાર મૂકવાનુ કાઈ પ્રયાજન નથી. અને તેમ કરવું, તે સ ંઘને જ હાનિકર છે. અને આ જ કારણથી કે-કદાચ સંધ કાઈ મહત્ત્વના કાર્ય પ્રસંગે એકઠા થાય, તેા અને જ્ઞાતિવાળા લાકે 'ખાલાલભાઈને સંઘ બહાર મૂકવાની હિલચાલ માટા પ્રમાણમાં કરે, તે માટે તેઓ-નગરશેઠ વિગેરે અગ્રણીઓ સંઘ પણ ભેગા કરતા નહાતા. આથી સંઘના કેટલાક મહત્ત્વના કાર્યોંમાં પણ વિલંબ થવા લાગ્યું. આ દરમ્યાન જ્ઞાતિના જ કોઇ માણસે શેઠ અંબાલાલભાઇના માતા-પિતા ઉપર ખાટા આક્ષેપ કરતું પૅમ્ફલેટ(Pamphlet)બહાર પાડયું. આથી શેઠ આખી જ્ઞાતિ ઉપર કાયદેસર પગલાં લે, એવી તંગ પરિસ્થિતિ સા`ણી. આ પરિસ્થિતિ થાળે પાડવા માટે મોટા મોટા શ્રેષ્ઠિઓ-આગેવાનાએ ઘણા પ્રયાસે। કર્યા, પણુ સમાધાન વધારે અશકય બનવા લાગ્યું. ત્યાં સુધી કે-અમદાવાદના સાંઘમાં પણ બે ભાગલા પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ. આથી આપણા પૂજ્યશ્રીમાન્ જયારે ધેાલેરાથી અમદાવાદ તરફ વિહાર કરતાં કરતાં બાવળા મુકામે પધાર્યા (ચામાસા પૂર્વ), ત્યારે ત્યાં સુરતના સંઘ વિનંતિ કરવા આવેલ, પણુ ત્યાં જ શેઠશ્રી મનસુખભાઈ વિ. અમદાવાદના આગેવાને આવ્યા, અને તેઓએ પૂજ્યશ્રીને વિન ંતિ કરતાં કહ્યું કે : સાહેબ ! શેઠ અંબાલાલભાઈના પ્રશ્નને અત્યારે ખૂબ ગંભીર સ્વરૂપ લીધું છે. એના ઉકેલ હવે આપ શ્રીમાન સિવાય કેાઇ લાવી શકે તેમ નથી. માટે કૃપા કરીને આપ સાહેબ આ વર્ષે તે અમદાવાદ પધારો, અને આના ઉકેલ કરો, જેથી શ્રીસંધમાં શાન્તિ થાય, અને સંઘના કાય–રથ નિવિ ાપણે ચાલવા લાગે, આ કારણથી પૂજ્યશ્રીએ અમદાવાદ પધારવાનું સ્વીકાયું, અને પધાર્યા. શેઠ બાલાલભાઇ ને પૂજયશ્રી ઉપર અનન્ય શ્રદ્ધા-ભક્તિ હતી. એક વાર તે વંદનાર્થે આવ્યા, અને પૂજ્યશ્રીને કહ્યું કે ; કાય` સેવા ફરમાવે. સમયના જાણુ પૂજ્યશ્રીએ કહ્યું: “અખાલાલભાઈ ! શેઠ મગનભાઈ કરમચંદ્ર આખી દશા શ્રીમાળી જ્ઞાતિના ૧૨૦૦ ઘરના શેઠ હતા. હવે આપણે જ્ઞાતિમાં તડ પાડીને અ–જ્ઞાતિના શેઠ અનવું નથી. માટે જે રીતે જ્ઞાતિમાં શાન્તિ સ્થપાય એ રીતે ચાગ્યે સમાધાનના માગે આવવું, એમાં જ તમારૂ, જ્ઞાતિનું, અને અમદાવાદના શ્રીસ ંઘનું હિત સમાયેલું છે.” અંબાલાલભાઇની ઈચ્છા પતાવવાની નહેાતી. પણ ગુરુવચન શિલા યન્તે” એ ઉકિતઅનુસાર પૂજ્યશ્રીરૂપ ગુરૂદેવના વચનને પાતાની ગમે તેવી ઉત્કટ ઈચ્છા કરતાં પણ અધિક માનનાર અંબાલાલભાઇએ કહ્યું: સાહેમ ! આપનુ વચન મારે આંખમાથા પર છે. હવે આપશ્રીના માદાનાનુસાર સમાધાન થઇ જશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy