SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શાસનસમ્રાટ્ર્ અને અદ્ભુત હતી કે તેઓશ્રી કાઈપણ સૂત્ર કે ગ્રંથ વાંચે. તેા પણ તત્ત્વરૂચિમાન શ્રોતાઓને મન તે ગાળનું ગાડું મળ્યા જેવા આનદ આવતા. પણ આ વખતે લેકીને તેઓશ્રીના મુખથી શ્રીભગવતીસૂત્ર સાંભળવાની તીવ્ર ઉત્કંઠા થવાથી તેઓએ તેઓશ્રીને તે માટે વિનંતિ કરી. પૂજ્યશ્રીએ તેઓને પ્રસ્તુત સૂત્ર વંચાય, તે તે દિવસેામાં કરવાના એકાસણાં કરવા, દેવવંદન કરવું, ધૂપ-દીપના ઉપયાગ સાથે સૂત્રમાં વારંવાર આવતા શ્રીગૌતમસ્વામી મહારાજના નામ પર પૂજા કરવી, વિ. વિધિ ખતાન્યા. ઉત્સાહી લેાકેાએ તરત જ તે વિધિ કરવાનું સ્વીકારી લીધુ. અને અનેક આત્માએ એ વિધિ કરવા માટે તૈયાર થઈ ગયા. આથી પૂજ્યશ્રીએ શુભમુહૂતે “પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર” તથા ભાવના-અધિકારે સૂરિપુર દર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પ્રણીત “શ્રી સમરાચ્ચિ-કહા” ની દેશના શરૂ કરી. વાચનના પ્રાર ંભે શેઠ શ્રીમનસુખભાઈ ભગુભાઈ વિ.એ મહાત્સવ કર્યાં. તેમજ વાચનપ્રારંભદિનથી શેઠ મનસુખભાઈ, નગરશેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ દલપતભાઇ મગનભાઈ, શેઢ પુરૂષોત્તમદાસ મગનભાઈ, શેઠ માહેાલાલ મૂળચંદ, વિગેરે સંઘના પ્રતિષ્ઠિત અગ્રણીઓએ હાજરી આપવા માંડી. પ્રથમ દિવસે તે શ્રેષ્ઠિએએ સૂત્રનુ સુવણુ મહેારાથી પૂજન કર્યુ હતુ. દિન-પ્રતિદિન શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. આથી ઉપાશ્રયની જગ્યા નાની પડવાથી નજીકમાં આવેલી શેઠશ્રી જેશીગભાઈની વાડીમાં વિશાળ મંડપ બાંધવામાં માન્યા. અને પૂજ્યશ્રી હ ંમેશા ત્યાં વ્યાખ્યાન વાંચવા પધારતા. શેઠશ્રી અંબાલાલ સારાભાઈ પણ પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં તથા વન્દ્રનાથે ઘણીવાર આવતા. તેમના પૂર્વજ કરમચંદ પ્રેમચંદે શ્રીસદ્ધગિરિજી ઉપર ટુંક ખંધાવેલી. અને શેઠ મગનલાલ કરમચંદે પણ અનેક સ્થળોએ ધમ શાળા-ઉપાશ્રય-દેરાસર વિ. બંધાવેલ છે. ૧ તે દશાશ્રીમાળી જ્ઞાતિના હતા. તેમણે પેાતાની બહેનને ધેાલેરાવાળા એક સ્થાનકવાસી ભાઈ વેરે (ઘાળખહાર) પરણાવી હતી. જોકે–એ ભાઈની પાસે સાધારણના એક રૂપિયા ભરાવી, વીશસ્થાનકની પૂજા ભણાવરાવી, ને મૂર્તિ`પૂજક તરીકે તેમને સ્વીકાર કરાવ્યો હતા. અને તે રહેતા હતા એ ધનાસુતારની પાળના પંચમાં પણ તેમને દાખલ કરાવ્યા હતા. પણ આ કાય પાતે પેાતાના અગલે જ્ઞાતિને જણાવ્યા સિવાય જ કરેલ હાવાથી જ્ઞાતિના અધ ઉપરાંત લાકો વિરૂદ્ધ થયા હતા. તેમણે આ કારણને આગળ ધરીને શેઠને જ્ઞાતિ-મહાર મૂકવાની ઝુંબેશ ઉપાડી. પણ અખાલાલભાઈ જ્ઞાતિના આગેવાન હતા. અને તેઓ એકલે હાથે જ્ઞાતિને પહોંચી વળવાની તાકાત ધરાવતા હતા. એટલે દશાશ્રીમાળી જ્ઞાતિવાળાઓએ વીશાશ્રીમાળી જ્ઞાતિના આગેવાનાને પણ તેમની વિરૂદ્ધ ઉશ્કેર્યો કે : આ તો ધર્મ વિરૂદ્ધ કાય` છે, માટે સંઘે આ ૧-અમદાવાદમાં–દોશીવાડાની પાળનું અષ્ટાપદનું દેરાસર, ધીકાંટા પરતું શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનુ દેરાસર, તથા કામેશ્વરની પેાળનુ દેરાસર–એ બધાં એમણે કરાવેલા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy