SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ આ જાણીને તેમના પક્ષકાર જ્ઞાતિજના તેમને કહે : શેઠ ! આપે સમાધાન કરવું, એ કોઇ રીતે વ્યાજબી નથી. અમે બધાં આપના પક્ષમાં રહ્યા, અને હવે આપ સમાધાન કરો તા અમારૂં નાક કપાય. ૧૧૬ “ગુરૂમહારાજશ્રી જે કહે તે મારે શિરામાન્ય છે. ત્યાં મારી ઈચ્છા-અનિચ્છાના સવાલ જ નથી. તેઓશ્રી કદાચ મને સંઘખહાર મૂકે કે લાખ રૂપિયાના દંડ કરે, તો પણ તે મારે શિરોધાય જ છે. અને શાન્તિથી સમાધાન કરવાનું ફરમાવે, તે પણ મારે શિરસાવદ્ય જ છે. તમારે જે સામા પક્ષમાં જવુ હાય તેા ખુશીથી જઇ શકે છે. મારા પક્ષમાં રાખવાના મારે કંઈ આગ્રહ નથી.” સ્વ-ઈચ્છા કરતાં પણ ગુરૂવચન અધિક અને અવશ્ય પાલનીય છે, એવી ભવ્ય ભાવનાના રણકારભર્યા શબ્દોમાં અંબાલાલભાઈ એ તેમને જવાબ આપી દીધા. હવે મન્યુ' એવુ` કે-રાયપુર-કામેશ્વરની પોળમાં અંબાલાલભાઈના વડીલેએ બંધાવેલ દેરાસરના જીર્ણોદ્ધાર પૂરા થયા હેાવાથી તે દેરાસરની પ્રતિષ્ઠા કરાવવાની તેમને ભાવના થઈ. પ્રતિષ્ઠા કરાવવાની વિનંતિ માટે તેમણે પોતાના અંગત સલાહકાર અને જ્યુબીલી મીલના મેનેજર શ્રીજમનાદાસ સવચંદ (સાતભાયાવાળા)ને પૂજ્યપાદ્દશ્રી પાસે માકલ્યા. પૂજ્યશ્રીએ પણ તે વિનંતિ સ્વીકારી. આ દરમ્યાન-પૂજ્યશ્રીએ અદ્ભુત બુદ્ધિ-કુનેહ વાપરીને શેડ અંબાલાલભાઈની વિરુદ્ધમાં પડેલા વીશા શ્રીમાળી જ્ઞાતિના મુખ્ય મુખ્ય ગૃહસ્થાને ઉપદેશ દ્વારા આ વિરોધ કરવા ઇંડી દેવા સમજાવ્યા. તેઓ પણ પરિસ્થિતિ સમજ્યા, અને નગરશેઠ ઉપર અંબાલાલભાઈ-વિરૂદ્ધ કરેલી અરજી પાછી ખેંચી લીધી. આમ થવાથી દશાશ્રીમાળી જ્ઞાતિના સામા પક્ષમાં ગભરાટ છવાઈ ગયા. તેમને વીશાશ્રીમાળી જ્ઞાતિની મેાટી એથ હતી, તે છૂટી ગઈ. એમાં વળી એમના જાણવામાં આવ્યુ’ કે પ્રતિષ્ઠા પ્રસંગે શેડ તરફથી શ્રીસ’ઘની નવકારશી થશે. એટલે તેએ બેવડી મુંઝવણમાં મૂકાયા. આ ચાલુ ઝઘડાને કારણે શેઠની ઈચ્છા નહેાતી, પણ પૂજ્યશ્રીના ઉપદેશથી અને નગરશેઠ વિ. ની સલાહથી તેમણે નવકારશી કરવાનું, તથા કુમકુમપત્રિકા છપાવવાનું નક્કી કર્યું. હતુ. આથી સામા પક્ષવાળા મુંઝાયા કે-હવે તે આપણે આખા સંઘથી જુદાં પડી જઈશું. પણ ડૂમતા તરણાંને આલે” ની જેમ તે વિચારવા લાગ્યા કે કંકોત્રી તે શેઠ કરમચંદ્ગુ પ્રેમચંદના મોટા નામથી બહાર પડશે, માટે નવકારશીમાં તથા મહેાત્સવમાં જવામાં આપણને કાંઈ વાંધા નહિ આવે, એટલે આપણે સંઘથી જુદા પણુ નહિ પડીએ. પણ શેઠે તેા પેાતાના નામથી જ કંકોત્રી કાઢી. એટલે પેલા સામા પક્ષવાળાને ભારે વિમાસણ થઈ પડી. હવે તેમની આબરૂના સવાલ હતા. શેઠને સંઘબહાર મૂકવા જતાં પોતે જ સંઘષહાર થઈ જાય, એવી પરિસ્થિતિ ઉભી થઈ. કરે તેવું પામે. હવે તેઓએ વિચાર્યુ કે હવે પૂજ્ય મહારાજ સાહેબ જ આપણી આ વિમાસણ દૂર કરી શકશે. તેઓ તે આવ્યા પૂજ્યશ્રી પાસે. અને ખપેારના ૧ થી ૪ વાગ્યા સુધી એને માટે વિનતિ કરવા લાગ્યા. પૂજ્યશ્રીએ અંબાલાલભાઇને ખેલાવ્યા. તેએ Jain Educationa International આવ્યા. પૂજયશ્રી પાસે જુદાજુદા-પેાતાના For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy