SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું પાપમાંથી ઉગાર્યા. આ દરેક ગામમાં નરોત્તમદાસ સાથે હતા. તેમણે ગામેગામના માછીઓની જાળે ભેગી કરી, અને છેવટે એ બધી જાળોને દાઠાગામની બજાર વચ્ચે અગ્નિદેવને સ્વાધીન કરી દીધી. વળી કેટલાંક ગામમાં દેવીના નામે પાડા, બકરાં, વિગેરે અબેલ અને નિર્દોષ પશુઓને વધ નવરાત્રિ વિ. દિવસમાં થતો હતો. તે પણ પૂજ્યશ્રીએ પિતાના ઉપદેશ દ્વારા બંધ કરાવ્યા. ખરેખર ! પૂજ્યશ્રીના ઉપદેશ–વચને, એ અચિત્ય–ફલદાયક મંત્ર સમા જ હતા, કે જેના મહાન પ્રભાવથી આવા અબુઝ માછીએ પણ પિતાને વંશપરંપરાગત હિંસક ધંધે છોડીને સન્માર્ગે જોડાયા. અને ત્યાર પછી તેઓ પૈસેટકે તથા બીજી દરેક રીતે ખૂબ સુખી થયા. મહાપુરૂષોના અંતરમાં અમૃતને કપિ ભર્યો હોય છે. એનાં એક બે, ફકત એક-બે જ બિન્દુ પણ જે મળે, તે કામ થઈ જાય. માછીઓની વાતમાં પણ એમ જ બન્યું. એમને પણું પૂજ્યશ્રીના અંતરના અમૃતકુંપામાંથી ડાંક અમીછાંટણા સાંપડી ગયા, ને એમનું કામ થઈ ગયું. ભયંકર પાતકમાંથી તેઓ તે ઉગર્યા, સાથે પેલાં જલચર પ્રાણિઓને પણ અભયદાન મળ્યું. આ એ અમૃત-બિન્દુને અને પ્રભાવ જ હતું ને !. જીવદયાનું આ મહાન કાર્ય કરતાં પૂજ્યશ્રી દાઠા વિ. ગામમાં વિચારી રહ્યા હતા, ત્યાં તેઓશ્રીને સમાચાર મળ્યા કે “શ્રીઅંતરીક્ષજી તીર્થ અંગેના દિગંબરોની સાથેના કેસ(Case)માં પં. શ્રી આણંદસાગરજી મ. (શ્રીસાગરજી મ.) મુશ્કેલીમાં મૂકાયા છે. આ સમાચાર મળતાં જ પૂજ્યશ્રીએ તારટપાલના મથકે રહેવાનો નિર્ણય કર્યો, અને તળાજા ગામે પધાર્યા. અને પ્રસ્તુત કેસમાં વિજય મેળવવા માટે સર્વ પ્રકારના પ્રયાસ પૂરઝડપે ચાલુ કર્યા. અમદાવાદ-શેઠ આ. ક. પેઢીના અગ્રણીઓને તાર-પત્રો દ્વારા ઝીણવટ અને કુનેહભર્યું માર્ગ દર્શન આપવા લાગ્યા. બીજી બાજુ ભાવનગરના આગેવાનોને તથા શ્રી મતીચંદ ગિરધરલાલ કાપડીયા સેલીસીટરને બોલાવીને તેઓને એગ્ય સલાહ-સૂચનો આપ્યા. નડિયાદના સૂબા નાનાસાહેબ, તથા પન્ના સટેટના એક મીનીસ્ટર (પ્રધાન) કે જેમની જુબાની ઉપર કેર્ટ (coart) માટે આધાર રાખતી હતી, તેમને બેલાવી, એગ્ય સૂચનાઓ આપીને જુબાની માટે બારસી મોકલ્યા. આમ શકય એટલા સર્વ પ્રયત્ન કરવામાં પૂજ્યશ્રીએ કોઈ ખામી કે કચાશ ન રાખી. તેઓશ્રીની જાજ્વલ્યમાન પ્રતિભા, કુનેહ, અને સતત પ્રયાસના પરિણામે, તથા તેઓશ્રીના માર્ગદર્શન તેમજ સલાહ-સૂચન મુજબ કેસ લડવામાં આવતાં છેવટે કેસમાં શેઠ આ. ક. ની પેઢીને એટલે કે શ્વેતામ્બરે જ્વલંત વિજય થયે. શ્રી સાગરજી મ. ના શિરેથી મુશ્કેલીનું વાદળ દૂર થયું, અને દિગમ્બરને પરાજ્ય થયે. ત્યારપછી મહુવાના શ્રીસંઘની વિનંતિથી પૂજ્યશ્રી મહુવા ચાતુર્મા સાથે પધાર્યા, અને વિ. સં. ૧૯૬૫ નું ચાતુર્માસ ત્યાં જ કર્યું. પૂજ્યશ્રીના સંસારી-અવસ્થાના પિતાજી શ્રીલક્ષ્મીચંદભાઈ તો બે વર્ષ થયા સ્વર્ગવાસ પામ્યા હતા. પણ પૂજ્યશ્રીના માતુશ્રી દિવાળીબા, તથા લઘુ બંધુ શ્રી બાલચંદભાઈ વિગેરે હતા. પિતાની જન્મભૂમિમાં તેઓશ્રીનું આ બીજું ચેમાસું હતું. એમાં અનેકવિધ શાસનપ્રભાવનાના કાર્યો થયા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy