SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ શાસનસમ્રાદ્ સુવિહિત-ગીતાર્થ બનવું પડે. આવા તે કંઈ કંઈ ગુણ મેળવવા અને કેળવવા પડે, ત્યારે એ મહામુનિ આ આચાર્ય પદવીની યોગ્યતાવાળા ગણાય. જૈનધર્મ પ્રકાશના ઉપરના લખાણ પરથી આપણને જણાય છે કે–પૂ. પં. શ્રી ગંભીરવિજયજી મ. પછી આપણું પૂજ્યશ્રી આચાર્ય પદવી માટે-જ્ઞાન-ત્યાગ-શાસનપ્રભાવકતાઅલૌકિક બુદ્ધિમત્તા-ગીતાર્થતા-નિર્દભ પરોપકારિતા અને કાર્યકુશલતા આદિ સર્વ પ્રકારે ગ્ય અને લાયક જ હતા. અને તેથી જ તેઓશ્રીને આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું. સાચા અર્થમાં તેઓશ્રી ભાવાચાર્ય તે હતા જ. હવે તેઓને દ્રવ્યાચાર્યપદ શ્રીસંઘની સાખે આપવામાં આવ્યું, તેથી તેઓશ્રીના પ્રભાવમાં દિવ્યતેજમાં કોઈ અપૂર્વ વધારે થશે. - ભારતભરમાં વિદ્યમાન સંગી–તપાગચ્છીય મુનિરાજોમાં વિધિસહિત ગદ્વહન કરવા પૂર્વક આચાર્ય પદવી પ્રાપ્ત કરનાર આપણું ચરિત્રનાયકશ્રી સર્વપ્રથમ હતા. હવેથી તેઓશ્રી સમગ્ર તપાગચ્છના એકમાત્ર સ્વામી-શિરતાજ-સમ્રાટુ થયા. સૂરિઓના ચક્રમાં-મંડલમાં તેઓશ્રી ચક્રવતી સમા ભવા લાગ્યા. [૨૬] જીવદયાના જ્યોતિર્ધર સં. ૧૯૬૪નું આ ચાતુર્માસ ભાવનગર–શ્રીસંઘના અત્યાગ્રહથી આપણું ચરિત્રનાયક પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ સૂરિશ્ચકચક્રવતી શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબે ભાવનગરમાં કર્યું. તેઓશ્રી તથા મુનિશ્રી મણીવિજયજી મ. (શ્રી સાગરજી મ. ના ભાઈ) વગેરે સપરિવાર સમવસરણના વંડે ચાતુર્માસ બિરાજ્યા અને પૂજ્ય પંન્યાસજી મ. શ્રી ગંભીરવિજયજી મહારાજ આદિ સપરિવાર મારવાડીના વડે બિરાજ્યા. અમદાવાદમાં પગથીયા ઉપાશ્રય, કે જે વિમળ ગચ્છનો ખાસ ઉપાશ્રય ગણાત, તેના આગેવાન સદ્દગૃહસ્થ શેઠ સાંકળચંદ મેહનલાલ નામે હતા. તેઓ મુહપત્તિ બાંધીને વાંચનાર મુનિનું વ્યાખ્યાન સાંભળવાને જ આગ્રહ રાખતા, પરંતુ જ્યારે પૂજ્યશ્રી અમદાવાદમાં બિરાજતા હતા ત્યારે તેઓશ્રીની પાસે તેઓ વ્યાખ્યાન સિવાયના સમયે તત્ત્વજ્ઞાનના પ્રશ્નના જવાબ મેળવવા વારંવાર આવતા. પૂજ્યશ્રી પણ તેમના પ્રશ્નના ખુલાસાવાર સંતોષપ્રદ જવાબ આપતા હોવાથી તેમને પૂજ્યશ્રી ઉપર અનહદ રાગ થયે હતો. તેઓ આ ચોમાસા પૂર્વે પાલિતાણું યાત્રા કરીને ભાવનગર આવ્યા. અને ત્યાં-મુહપત્તિ ન બાંધનાર સાધુ મ. નું વ્યાખ્યાન શ્રવણ ન કરવું, એ પિતાને આગ્રડ હોવા છતાંય, અને કુટુંબીઓને વિરોધ છતાંય-પૂજ્યશ્રી ઉપરની દઢ શ્રદ્ધાને કારણે તેમણે નિર્ણય કર્યો કે–ચોથું બ્રહ્મચર્યવ્રત તે પૂજ્યશ્રી પાસે જ ઉચ્ચરવું છે. અને તે પ્રમાણે તેઓએ ભાવનગરમાં નાણુ મંડાવીને પૂજ્યશ્રી પાસે ચોથું બ્રહ્મચર્યવ્રત તથા બીજાં વ્રતો ઉશ્ચર્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy