SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સુરિચકચક્રવર્તી મહાજન તરફથી બંધ રાખવામાં આવ્યા હતા. અર્થાત્ મીલ, જીન, પ્રેસ, લાકડાં વેરવાના કારખાના, સાકર બનાવવાના કારખાના વિગેરે તમામ બંધ રાખવામાં આવ્યા હતા. અને બંદર તેમજ અનાજ બજાર ને ગળબજાર વિગેરે પણ બંધ રાખવામાં આવ્યા હતા. માછીની જાળ બંધ રખાવી હતી, ઈત્યાદિ દરેક પ્રકારના આરંભે બંધ રાખવાથી પ્રાસંગિક લાભ પણ સારે થયે હતે. ભાવનગરના સંઘમાં આ મહોત્સવે કાંઈક અપૂર્વ લાગણી ઉત્પન્ન કરી હતી. જેથી રાત્રે ને દિવસે જિનમંદિર શ્રાવક-શ્રાવિકાઓથી ભરપૂર જ રહેતું હતું. ઉત્સાહ અવર્ણનીય હતે. હવે વધારે લંબાણ ન કરતાં આવા મહોત્સવે વારંવાર થાઓ એમ ઈચ્છી લેખ સમાપ્ત કરવામાં આવે છે.” (જૈનધર્મ પ્રકાશ-પુસ્તક ૨૪મું. અંક ૩છે. સં. ૧૯૬૪-જેઠ માસ) આ સવિસ્તર હેવાલથી સમજાય છે કે-તે વખતે આપણા પૂજ્યશ્રીમાનની સૂરિપદવીને મહોત્સવ કેવા ભવ્ય ઠાઠથી ઉજવાયો હશે. સં. ૧૯૬૦માં વલભીપુરમાં ઉજવાયેલ પૂજ્યશ્રીની ગણિપંન્યાસપદવીન મહોત્સવમાં ભાવનગરના શ્રી સંઘને શેડો પણ લાભ ન મળે, તેનું તેણે જાણે અહીં સાટું વાળી લીધું. અર્થાત અભૂતપૂર્વ અને અતિભવ્ય મહોત્સવ ને શ્રીસંઘે કર્યો. પ્રસ્તુત મહોત્સવમાં ભાવનગર રાજ્યને પણ સંપૂર્ણ ભક્તિભર્યો સહકાર હતા. આ મહામહોત્સવ વખતે જીવદયાને ઘણું જ પ્રશંસનીય પ્રાધાન્ય આપવામાં આવેલું. પદવી-દિવસે સમસ્ત શહેરના તમામ પ્રકારના આરંભના કાર્યો મહાજન તરફથી બંધ રાખવામાં આવેલા, તે ઉપરથી આપણે સમજી શકીએ છીએ આ કોઈપણ મહાન પ્રસંગ આંગણે ઉજવાત હોય ત્યારે આવા જીવદયાવર્ધક કાર્યો કરવામાં આવે તો તેથી શાસનની કોઈ અનેરી પ્રભાવના અને શભા થાય છે. - આચાર્યપદવી એ કેઈ નાની સૂની કે જેવી તેવી પદવી નથી. આચાર્ય પદવીની મહત્તા તે જિનશાસનમાં અપૂર્વ–અસામાન્ય છે. આચાર્ય એટલે સમસ્ત ગચ્છના અધિપતિ, –નાયક –શાસક. આચાર્ય એટલે શાસનરૂપી મહેલના આધારસ્તંભ. ઓછી નથી હોતી તેમની જવાબદારી. સારાયે શાસન-સંઘને ને ગચ્છનો સર્વ પ્રકારનો બેજે એમને શિર હોય છે. એવો બોજો કે જવાબદારી તે લાયક અને સર્વથા યોગ્યને મસ્તકે જ મુકાય. અને એવી ગ્યતા કાંઈ જેમતેમ કે જેને તેને નથી મળતી. એ મેળવવા માટે તે ઘણું ઘણું ગુણ મેળવવા જોઈએ. કેટકેટલાં યોગ વહેવાં પડે. બહુશ્રતપણું મેળવવું પડે. નમ્રત્વ અને નિરભિમાનીપણું કેળવવું પડે. શાસનની સર્વાગીણ પ્રભાવનાની શક્તિ કેળવવી પડે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy