SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રિચકચક્રવર્તી હતું. અને શબ્દરચના સાંભળતું હતું. તેમાં પણ ગણાચાર્ય તરીકે ચતુર્વિધ સંઘે વાસક્ષેપ કર્યો તે વખતની શોભા અને દેખાવ અપૂર્વ હતા. શ્રીસંઘ સમક્ષ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ નામ સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને જે શિક્ષા આપવામાં આવી હતી, તે તેમજ આચાર્યશ્રીએ આપેલ ઉપદેશ હૃદયમાં કતરી રાખવા જેવો હતો. પ્રાંતે શ્રીફળની પ્રભાવના કરવામાં આવી હતી. ત્યારબાદ સર્વ સમુદાય સાથે આચાર્યશ્રી શહેરની અંદર મુખ્ય મંદિરે દર્શન કરવા પધાર્યા હતા. સંઘ તરફથી તે પ્રસંગે એક સારો વરઘોડો કાઢવામાં આવ્યો હતે. જેઠ સુદિ ૭ મે જળયાત્રાને વરઘોડે ઘણું ધામધુમ સાથે કાઢવામાં આવ્યું હતું. જેષ્ઠ સુદિ ૯મે છપ્પન દિશાકુમારિકા તથા સૌધર્મેન્દ્રના પાંચરૂપને પ્રભુ સહિત વરઘડે કાઢવામાં આવ્યો હતો. છપ્પન દિશાકુમારિકાના ૭ વિભાગ કરી પ્રથમની ૮ સંવર્ત– વાયુ વડે ભૂમિ શુદ્ધ કરનારી કુમારિકાના હાથમાં સુંદર મોરપીંછ આપવામાં આવી હતી. બીજી ૮ ગંદક વડે વૃષ્ટિ કરનારી કુમારિકાના હાથમાં ગુલાબજળથી ભરેલી સુંદર ગુલાબ દાનીઓ આપવામાં આવી હતી. ત્યાર પછીની ૮ના હાથમાં દર્પણ, ૮ ના હાથમાં કળશ, ૮ ના હાથમાં વીંઝણ, ૮ ના હાથમાં ચામર, અને છેલ્લી ૮ ના હાથમાં દીપકયુકત ફાનસે આપવામાં આવ્યા હતા. કળશ ૮ પૈકી બે સુવર્ણના, બે ૧૦૮ નાળવાળા, બે વૃષભાકૃતિના અને બે વૃષભવદનવાળા હતા. ૮ પંખામાં બે ઘણું સુશોભિત પુષ્પના ભરેલા તથા બાકીના રૂપાની ડાંડીવાળાં અને કશબ ટીપકીને ભરેલા હતા. દીપક ધારણ કરનારી ૪ કુમારિકા હોય છે. પરંતુ સૂતિકર્મ કરનારી ૪ કુમારિકાઓના હાથમાં પણ દીપક આપવામાં આવ્યા હતા. છપ્પન દિશાકુમારિકાઓની પાછળ થોડે દૂર સૌધર્મેદ્રને આદેશ મળેલ ગૃહસ્થ સુંદર વસ્ત્રાભરણે ભૂષિત થઈ એક સુંદર જિનબિંબને આંગી રચાવી હાથમાં ધરી રાખીને ચાલતા હતા. તેમની પાછળ બીજા ગૃહસ્થ મેઘાડમ્બર છત્ર ધારણ કરીને ચાલતા હતા. બે બાજુ બે ઈદ્ર ચામર વીંઝતા હતા. અને એક આગળ રૂપાનું સુંદર વા ઉછાળતા ચાલતા હતા. બાકીના ઈન્દ્રોને આદેશ મેળવેલ બીજા ગૃહસ્થ પણ પવિત્ર થઈને પવિત્ર વસ્ત્ર પરિધાન કરી સાથે ચાલતા હતા. આગળ ગીતગાન અને વાજીંત્ર વાગ્યા કરતા હતા. આ વરઘોડાની શોભા બહુ સરસ આવેલી હોવાથી જૈન ઉપરાંત અન્ય દર્શનીઓ પણ અનુમોદના કરતાં નજરે પડતા હતા. માણસોની ઠઠ પારાવાર હતી. આ વરઘોડો શહેરના બહોળા ભાગમાં ફરીને મોટા દેરાસરે આવ્યો હતો. ત્યાં તૈયાર કરાવી રાખેલા કેળના ઘરમાં પ્રભુને સિંહાસન પર પધરાવવામાં આવતાં દિશાકુમારિકાઓએ પોતપોતાની ક્રિયા કરી હતી. પ્રથમ પીંછીવાળી કુમારિકાઓએ પ્રભુના શરીર ઉપર અને આજુબાજુ પીંછી વડે વિશુદ્ધિ કરી હતી. ત્યારપછી ગુલાબદાનીવાળી કુમારિકાઓએ સર્વત્ર ગુલાબજળ છાંટી કદલીગૃહને સુગંધી બનાવી દીધું હતું. ત્યારપછી દર્પણવાળી દર્પણ બતાવી એક બાજુ ઉભી રહી હતી. ચામરવાળી ચામર વીંઝી, પંખાવાળી પંખો કરી અને દીપકવાળી દીપક દેખાડી ચારે દિશાએ જુદી જુદી ઉભી રહી હતી. પછી ભંગારવાળી કુમારિકાઓએ પ્રભુને અભિષેક કર્યો હતો. સર્વે કુમારિકાઓને તે લાભ આપવામાં આવ્યો હતો. પછી પ્રભુને ઉત્તમ વસ્ત્ર વડે નિર્જળ કરી, અષ્ટપ્રકારી પૂજા કરાવી, આભૂષણ પહેરાવી આરતી ઉતરાવવામાં આવી હતી. અને એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy