________________
ક
ગ્રન્થ પરિચય સમણ સુત્ત” ગ્રન્થમાં જૈનધર્મ-દર્શનની સારભૂત વાતનું સંક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન કર્યું છે.
આ ગ્રન્થમાં ૪ ખંડ અને ૪૪ પ્રકરણે છે. ગાથાઓ કુલે ૭૫૬ છે. (૭૫-૬=૧૮=૧૮૨૯)
ગ્રન્થની મૂળ સંકલના પ્રાકૃત ગાથાઓમાં કરી છે. આ ગાથાઓ ગેય છે અને પારાયણ કરવા યોગ્ય છે.
જૈનાચાર્યોએ પ્રાકૃત ગાથાઓને “સૂત્ર કહ્યાં છે પ્રાકૃત “સુર” શબ્દને અર્થ “સૂત્ર”, “સુક્ત” તથા “શ્રુત” પણ થાય છે. જૈન પરંપરામાં “સૂત્ર” શબ્દ રૂઢ છે, તેથી આ ગ્રન્થનું નામ “સમણ સુત્ત' (શ્રમણ સૂત્રમ્) રાખ્યું છે. ગાથાઓની પસંદગી પ્રાચીન મૂળ ગ્રંથમાંથી કરી છે. આમ આ “સમણસુત્ત આગમન જેવું સ્વતઃ પ્રમાણ છે.
આપણું આ પુસ્તકમાં ફક્ત ગુજરાતી અનુવાદ ગદ્યમાં આપવામાં આવેલ છે. વાચકને તેમાં રસ પડે તે પછી અર્ધમાગધી ગાથાઓ જે ગેય છે તેને રસાસ્વાદ મૂળ પુસ્તકમાંથી માણી શકે છે. સંસ્કૃત લોકે પ્રાકૃત સમજવામાં મદદ રૂપ છે.
(૧) જ્યોતિર્મુખ : આ નામ પ્રથમ ખંડનું છે. એમાં વ્યક્તિ “ખાઓ, પીએ, ને, મોજ માણે”ની નિમ્ન ભૌતિક ભૂમિકા અથવા બાહ્ય જીવનથી ઉપર ઊઠીને આત્યંતર જીવનનું દર્શન કરે છે. એ વિષય ભેગને અસાર, દુખમય તથા જન્મ-જરા-મરણ રૂપ સંસારનાં કારણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org